મોદી આરએસએસના ગુંડા, રાજનાથ સિંહ તેમના ગુલામઃ બેની પ્રસાદ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર વિરોધીએના હુમલા વધી ગયા છે. ક્યારેક રાહુલ ગાંધી તેમના પર પ્રહાર કરે છે તો ક્યારેક કોંગ્રેસના નેતા તેમના પર શાબ્દિક બાણ ચલાવે છે. જો કે, બેની પ્રસાદ વર્માએ આ પહેલા પણ અનેકવાર નરેન્દ્ર મોદીને લઇને તીખા શબ્દોનો ઉચ્ચાર્યા છે.

beni prasad varma
બેની પ્રસાદ વર્માએ મોદીને આરએસએસના ગુંડા કહ્યાં છે. ઉત્તર પ્રદેશના ગોંડા ખાતે આયોજીત એક જનસભાને સંબોધિત કરતી વેળા તેમણે કહ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મોત માટે આરએસએસ અને ભાજપ જ જવાબદાર છે. મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, મોદી આરએસએસના ગુંડા છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ તેમના ગુલામ છે.

બેની પ્રસાદ વર્માએ મોદી પર આરોપ લગાવતા કહ્યું કે, મોદી માટે આરએસએસ અને ભાજપ વેંચાઇ ચૂક્યું છું. તેમણે કહ્યું કે, ભાજપમાં એ જ થાય છે જે મોદી ઇચ્છે છે. તેમણે કહ્યું કે મોદી પોતાના વરિષ્ઠ નેતાઓની ઇજ્જત નથી કરતા. હવે જોવાનું એ રહ્યું કે, બેની પ્રસાદ વર્મા દ્વારા કરવામાં આવેલા પ્રહારોનો ભારતીય જનતા પાર્ટી અને પક્ષના અધ્યક્ષ રાજનાથ સિંહ કેવા શબ્દોમાં જવાબ આપે છે.

English summary
Congress leader and Union steel minister Beni Prasad Verma has called BJP prime ministerial candidate Narendra Modi a ‘goon’ of RSS. He also attacked BJP president Rajnath Singh calling him a slave.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X