મોદી દાઉદી વ્હોરા સમાજના નવનિયુક્ત ધર્મગુરૂને મળ્યા, તસવીરો
મુંબઇ, 28 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દાઉદી વ્હોરા સમાજના નવા વરાયેલા ધર્મગુરૂ સૈયદના મુફ્ફદલ સૈફુદીનને સોમવારે સાંજે મુંબઇમાં રૂબરૂ મળીને તેમના પિતા અને દિવંગત ધર્મગુરૂ ડો. સૈયદના બુહરાનુદ્દિન સાહેબની ચીરવિદાય અંગે સાંત્વના પાઠવી હતી.
સૈયદના મુફ્ફદલ સૈફુદીન દાઉદી વ્હોરા કોમના 53માં ધર્મગુરૂ બન્યા છે અને મર્હુમ ડો. સૈયદના બુહરાનુદ્દિનના સુપુત્ર છે. તેમણે મુખ્યમંત્રીના ડો. સ્વર્ગસ્થ સૈયદના બુહરાનુદિન સાથેના સ્નેહભાવ અને લાગણીના સંસ્મરણોની અભિવ્યકિત કરી હતી.
નવા ધર્મગુરૂએ નરેન્દ્રભાઇ મોદીને તેમના કુશળ નેતૃત્વમાં ભારત પ્રગતિની નવી ઊંચાઇએ પહોંચશે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.
આ પ્રસંગે મહારાષ્ટ્ર ભાજપા અધ્યક્ષ દેવેન્દ્ર ફડનવીસ, મુંબઇ ભાજપા અધ્યક્ષશ્રી તથા ભાજપા અગ્રણીશ્રી વિજય રૂપાણી અને ગોપીનાથ મૂંડે સહિત દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
જુઓ તસવીરો...
મોદી દાઉદી વ્હોરા સમાજના નવનિયુક્ત ધર્મગુરૂને મળ્યા
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દાઉદી વ્હોરા સમાજના નવા વરાયેલા ધર્મગુરૂ સૈયદના મુફફદલ સૈફુદીનને સોમવારે સાંજે મુંબઇમાં રૂબરૂ મળીને તેમના પિતા અને દિવંગત ધર્મગુરૂ ડો. સૈયદના બુહરાનુદ્દિન સાહેબની ચીરવિદાય અંગે સાંત્વના પાઠવી હતી.
મોદી દાઉદી વ્હોરા સમાજના નવનિયુક્ત ધર્મગુરૂને મળ્યા
સૈયદના મુફ્ફદલ સૈફુદીન દાઉદી વ્હોરા કોમના 53માં ધર્મગુરૂ બન્યા છે અને મર્હુમ ડો. સૈયદના બુહરાનુદ્દિનના સુપુત્ર છે. તેમણે મુખ્યમંત્રીના ડો. સ્વર્ગસ્થ સૈયદના બુહરાનુદિન સાથેના સ્નેહભાવ અને લાગણીના સંસ્મરણોની અભિવ્યકિત કરી હતી.
મોદી દાઉદી વ્હોરા સમાજના નવનિયુક્ત ધર્મગુરૂને મળ્યા
નવા ધર્મગુરૂએ નરેન્દ્રભાઇ મોદીને તેમના કુશળ નેતૃત્વમાં ભારત પ્રગતિની નવી ઊંચાઇએ પહોંચશે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.
મોદી દાઉદી વ્હોરા સમાજના નવનિયુક્ત ધર્મગુરૂને મળ્યા
આ પ્રસંગે મહારાષ્ટ્ર ભાજપા અધ્યક્ષ દેવેન્દ્ર ફડનવીસ, મુંબઇ ભાજપા અધ્યક્ષશ્રી તથા ભાજપા અગ્રણીશ્રી વિજય રૂપાણી અને ગોપીનાથ મૂંડે સહિત દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.