MP Election 2023 : મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ માટે મુખ્યમંત્રી બનવાના કેટલા ચાન્સ? જાણો શું કહે છે લેટેસ્ટ સર્
મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહના ભારે વિરોધને કારણે બીજેપીને હાર દેખાઈ રહી છે. આ જ કારણ છે કે પાર્ટી સાંસદોને પણ વિધાનસભાની ચૂંટણી લડાવી રહી છે. શિવરાજ સિંહને લઈને હાલના એક સર્વેમાં ચૌકાવનારા તથ્યો સામે આવ્યા છે.
બીજેપી મધ્ય પ્રદેશમાં ફુંકી ફુંકીની કદમ રાખી રહી છે. આ જ કારણ છે કે પાર્ટીએ હજુ સુધી મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યો નથી. શિવરાજ સિંહના ભારે વિરોધ વચ્ચે તેમની ઘરવાપસી લગભગ નક્કી મનાઈ રહી છે.

રાજ્યમાં બીજેપી ચૂંટણી જીતે તો શિવરાજ સિંહ ચૌહાણ સીએમ પદનો ચહેરો હશે કે કેમ સવાલનો એબીપી ન્યૂઝ C વોટરના સર્વેમાં ચૌકાવનારો જવાબ મળ્યો છે.
સર્વેમાં લગભગ 50 ટકા લોકોએ કહ્યું કે બીજેપી શિવરાજ સિંહને સીએમ ચહેરો નહીં બનાવે. 35 ટકા લોકોએ કહ્યું કે બીજેપી શિવરાજ સિંહને સીએમ ચહેરો બનાવશે. 49 ટકા લોકોનું માનવું છે કે બીજેપી શિવરાજ સિંહને બીજી તક નહીં આપે એટલે કે બીજેપીની જીતની સ્થિતિમાં કોઈ અન્ય સીએમ બનશે. 16 ટકા લોકોએ કહ્યું કે તે કંઈ કહી શકે તેમ નથી.
મધ્યપ્રદેશમાં બીજેપીની 230 બેઠકો છે. બીજેપી અને કોંગ્રેસ બંને દ્વારા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. અહીં 17મી નવેમ્બરે મતદાન થશે અને 3જી ડિસેમ્બરે મતગણતરી થશે.












Click it and Unblock the Notifications
