પીઇબી ગોટાળો: મુખ્યમંત્રી શિવરાજની પત્ની સાધના સિંહ પણ ગોટાળામાં સામેલ
રાજ્યમાં કોંગ્રેસ પ્રવક્તા કેકે મિશ્રાએ આરોપ લગાવતાં કહ્યું હતું કે કૉલ ડીટેલ્સ અનુસાર મુખ્યમંત્રીના ઘરેથી કોઇ મહિલાએ ગોટાળામાં જેલ ગયેલા મુખ્ય આરોપી MPPEB કંટ્રોલર પંકજ ત્રિવેદી તથા સિસ્ટમ એનાલિસ્ટ નિતિન મોહિંદ્રાએ 139 વાર ફોન કર્યા. કેકે મિશ્રાએ કહ્યું, 'મુખ્યમંત્રીએ જણાવવું જોઇએ કે તેમના ઘરેથી કઇ મહિલાએ કયા કામ માટે પંકજ ત્રિવેદી અને નિતિન મોહિંદ્રાને 139 વખત ફોન કર્યો.'
કેકે મિશ્રાએ એમપણ કહ્યું કે ટ્રાંસપોર્ટ ડિપાર્ટમેન્ટ એક એક્ઝામમાં પાસ થયા 19 લોકો મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સાસરી ગોંદિયા (મહારાષ્ટ્ર)થી છે. તેમણે કહ્યું કે 'વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં ઇમાનદારી અને પારદર્શિતાની વાત કરે છે. હવે એ જોવાનું છે કે ગંગાની સફાઇ માટે મંત્રી ઉમા ભારતી તેમના કેબિનેટમાં ક્યાં સુધી રહેશે. મધ્ય પ્રદેશની ઘણી પરીક્ષાઓમાં અભ્યાસર્થીઓને પાસ કરાવવા માટે ઘણા સ્તર પર ગોટાળા હોવાની આશંકા છે. હાઇકોર્ટની નજરહેઠળમાં એસટીએફ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં મધ્ય પ્રદેશમાં મોટા પાયે ધરપકડ થઇ છે.