For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી એકવાર મિત્રો બનશે અમરસિંહ અને મુલાયમ !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mulayam-amar
લખનઉ, 2 નવેમ્બર: યૂપીનું રાજકારણ આવનાર દિવસોમાં ઇતિહાસ રચશે. એવો સળવળાટ જોવા મળી રહ્યો છે કે સપાના પૂર્વ મહાસચિવ અમરસિંહ અને સપાના સુપ્રિમો મુલાયમ સિંહ યાદવ ફરીથી એક થઇ શકે છે. આ વાત એ માટે કરવામાં આવી રહી છે કારણ કે યૂપીની અલિખેશ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં અમરસિંહ વિરૂદ્ધ લગાવેલ મની લોડ્રીંગને કેસને પાછો ખેંચી લીધો છે. આ કેસને કાનપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો.

જેના કારણે રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા થઇ રહી છે કે અમરસિંહ અને મુલાયમ સિંહ યાદવ ફરી એકવાર મિત્રો બની શકે છે. જો કે અંગે હાલમાં કંઇ કહેવું ઉતાવળ કર્યા બરાબર છે. ક્યારેક એક શરીર એક જીવ કહેનારા અમરસિંહ અને મુલાયમની જોડીએ ખૂબ ધમાલ મચાવી હતી પરંતુ પાર્ટીના અંદરના ડખા અને મુલાયમ સિંહની પુત્રવધૂ ડિમ્પલ યાદવ ફિરોઝાબાદમાં ચૂંટણી હારી જવાના ભણકારા થતાં મુલાયમસિંહે અમરસિંહને પાર્ટીની બહાર તગેડી મૂક્યા હતા.

આટલું જ નહી અમીર સિંહના ખરાબ દિવસોમાં મુલાયમ સિંહ તેમના હાલચાલ પૂછવા પણ ગયા ન હતા એવું લાગું છે કે અમરસિંહને મુલાયમ સિંહ દ્રારા જે જખ્મો મળ્યા છે તે આટલી જલદી રૂઝાશે નહી પરંતુ કોઇએ પણ વિચાર્યુ નહી હોય કે અમરસિંહ અને મુલાયમ આ રીતે છૂટા પડશે માટે તેઓ ફરીથી એક થઇ જાય તો નવાઇ લાગશે નહી.

English summary
UP Akhilesh Government in withdrawn all cases of money laundering against Amar Singh.SO its Mulayam-Amar patch up on the cards said TV Channels.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X