મુંબઇ: માનખુર્દમાં ઇમારત પડતા 3ની મોત, અનેક ફસાયા
મુંબઇના માનખુર્દમાં ઇમારત પડતા અનેક લોકો ફસાયા, 3ની મોત.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના માનખુર્દ વિસ્તારમાં એક ઇમારત પડી જતા ત્રણ લોકોની મોત થઇ છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઇમારત નીચે ફસાયા છે. ફાયરબ્રિગ્રેડ અને સ્થાનિકોની મદદથી 12 લોકોને કાટમાળની નીચેથી નીકળવામાં આવ્યા છે. અને બે ફાયર બ્રિગ્રેડ અને બે એમ્બ્યુલન્સને ઘટના સ્થળે મોકલવામાં આવી છે.
મુંબઇના માનખુર્દ વિસ્તારમાં ગુરુવારે સવારે આ દુર્ધટના બની છે. જ્યારે આ દુર્ધટના થઇ ત્યારે મોટા ભાગના લોકો સૂઇ રહ્યા હતા. માટે મોટા ભાગના લોકોને બચવાનો કોઇ મોકો નહતો મળ્યો.
#SpotVisuals Mumbai: 3 dead and 12 rescued after a house collapsed in Maharashtra Nagar (Mankhurd). pic.twitter.com/l6YR22lDxa
— ANI (@ANI_news) December 15, 2016
વધુમાં આ અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. જ્યારે ત્રણ લોકોની મોત થવાની માહિતી મળી છે. વધુમાં લોકોને જલ્દી કાટમાળમાંથી નીકાળવા માટે ફાયર બ્રિગ્રેડની વધારે ગાડીઓ મોકલવામાં આવી છે.