મુંબઈની વિશેષ કોર્ટે માલ્યાને ‘ભાગેડુ' ઘોષિત કરવા પર રોક લગાવતી અરજી ફગાવી
લિકર વેપારી અને દેશની અલગ અલગ બેંકોમાંતી કરોડો રૂપિયા લઈને ફરાર થયેલ વિજય માલ્યાને ગુરુવારે મુંબઈની વિશેષ અદાલતે ઝટકો આપ્યો છે.
લિકર વેપારી અને દેશની અલગ અલગ બેંકોમાંથી કરોડો રૂપિયા લઈને ફરાર થયેલ વિજય માલ્યાને ગુરુવારે મુંબઈની વિશેષ અદાલતે ઝટકો આપ્યો છે. મુંબઈની વિશેષ પીએમએલએ અદાલતે વિજય માલ્યાને ભાગેડુ ઘોષિત કરવાની ઈડીના અરજી પર સુનાવણીમાં રોક લગાવવાની માંગ કરતી યાચિકા ફગાવી દીધી છે.
આ પણ વાંચોઃ નવજોત સિંહ સિદ્ધુના ખભે ઈમરાન ખાનનું તીર અને નિશાના પર પીએમ મોદી
પીએમએમએ કાયદા હેઠળ વિશેષ અદાલતે કોઈ આર્થિક ગુનેગારને ભાગેડુ ઘોષિત કરી શકે છે. એટલે સુધી કે કોર્ટને આર્થિક ગુનેગારની સંપત્તિ પણ તરત જ જપ્ત કરવાનો અધિકાર છે. વિજય માલ્યા જેવા ભાગેડુ સામે ઈડીએ તો પીએમએલએ કાયદા હેઠળ એરેસ્ટ વોરન્ટ પણ કાઢ્યુ છે. મુંબઈની વિશેષ પીએમએલે કોર્ટે વિજય માલ્યાની અરજી ફગાવી દીધી.
ઈડીએ
એક
નોટિસ
જાહેર
કરીને
માલ્યાને
ભાગેડુ
ઘોષિત
કરી
દીધો
હતો.
જે
અંગે
કોર્ટમાં
સુનાવણી
થઈ.
માલ્યાએ
જ
કોર્ટમાં
અરજી
આપીને
જવાબ
આપવા
માટે
થોડો
સમય
માંગ્યો
હતો.
મની
લોન્ડ્રિંગ
કેસમાં
ફસાયેલા
કિંગફિશરના
માલિક
માલ્યા
હાલમાં
લંડનમાં
છે.
જેની
સામે
ઈડી
અને
દેશની
સૌથી
મોટી
તપાસ
એજન્સી
સીબીઆઈએ
ઘણા
મામલે
કેસ
કર્યા
છે.
છેલ્લા
બે
વર્ષોથી
યુકેમાં
રહેતા
માલ્યા
સામે
લંડન
કોર્ટમાં
અંતિમ
ચુકાદો
આગામી
વર્ષે
મે
મહિનામાં
થશે.