લાઈવ મેચ દરમિયાન ઈન્ટરનેશનલ કબડ્ડી પ્લેયરની હત્યા
તાજેતરમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ છે. અહીં પહેલીવાર આમ આદમી પાર્ટીએ 92 બેઠકો સાથે રેકોર્ડ જીત મેળવીને સરકાર બનાવી છે.
નવી દિલ્હી : તાજેતરમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ છે. અહીં પહેલીવાર આમ આદમી પાર્ટીએ 92 બેઠકો સાથે રેકોર્ડ જીત મેળવીને સરકાર બનાવી છે. AAPએ ભગવંત માનને પંજાબના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તાજેતરમાં પંજાબ ફરી કેટલાક અન્ય સમાચારોને કારણે હેડલાઇન્સમાં છવાયું છે. આ સમાચાર રમત જગતના છે અને ખૂબ જ દુઃખદ પણ છે. જ્યાં એક કબડ્ડી ખેલાડીની કેટલાક અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય ખેલાડી પર મોટો હુમલો
આ સમાચાર પંજાબના જલંધર શહેરથી આવ્યા છે. આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદીપ નાંગલની સોમવારના રોજ જાલંધરના માલિયામાં ચાલી રહેલી મેચ દરમિયાનગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
જલંધરમાં કબડ્ડી કપ દરમિયાન સાંજે 6 કલાકે અંબિયા ગામના રહેવાસી સંદીપની અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાંઆવી હતી. તેના માથા અને છાતી પર લગભગ 20 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. સંદીપ પર હુમલો કરનારા ગુંડાઓની સંખ્યા લગભગ 12હોવાનું માનવામાં આવે છે.
કબડ્ડી આખી દુનિયામાં રમાય છે
એક વ્યાવસાયિક કબડ્ડી ખેલાડી તરીકે નાંગલ સ્ટોપરની સ્થિતિમાં રમતા હતા. તે આ રમત રમીને મોટો થયો હતો અને રાજ્ય સ્તરની મેચો રમીને તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેના ચાહકોમાં તે 'ગ્લેડીયેટર' તરીકે જાણીતો હતો. તેણે એક દાયકા કરતાં વધુ સમય સુધી કબડ્ડીની દુનિયા પર રાજ કર્યું અને પંજાબ સિવાયકેનેડા, યુએસએ, યુકેમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું.
હોસ્પિટલ પહોંચ્યા બાદ મૃત્યુ
ઉલ્લેખનીય છે કે, સંદીપને પહેલા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ થોડા સમય બાદ તેને મૃત જાહેર કર્યો હતો. સમાચાર એવા છેકે ગામમાં કબડ્ડી સ્પર્ધા ચાલી રહી હતી, તે દરમિયાન સંદીપ તેના કેટલાક સાથીઓને છોડીને નીકળી ગયો હતો. ત્યાં કેટલાક સશસ્ત્ર બદમાશોએ તેમના પર ગોળીબારકર્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસે તપાસ શરૂ કરી છે.