પોન્ટી હત્યા કેસઃ નામધારીએ પણ ચલાવી હતી ગોળીઃ પોલીસ
નામધારીની ધરપકડ બાદ પોન્ટી હત્યાકાંડમાં યુ-ટર્ન આવ્યો છે. નામધારીની ધરપકડથી ઘણા સવાલો ઉભા થયા છે. ખાસ વાત એ છે કે નામધારી જ એ વ્યક્તિ છે, જેમણે ફાર્મ હાઉસમાં ગોળીબારી થવાની સૂચના પોલીસને કરી હતી. જો કે, નામધારીએ જણાવ્યા પ્રમાણે, તેમણે રાજનીતિક ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવી રહ્યા છે અને તે પોતાની મરજીથી દિલ્હી પોલીસ સાથે જઇ રહ્યાં છે.
દિલ્હીમાં દારૂના વેપારી પોન્ટી ચઢ્ઢા અને તેમના ભાઇ હરદીપની હત્યાનો સમય સુખદેવ સિંહ નામધારી પોતાના ગનર સાથે ઘટનાસ્થળ પર હાજર હતા. નામધારીના ગનર પર પોન્ટીના ભાઇ હરદીપને મારવાનો આરોપ છે. જેના કારણ ઘટનાના દિવસથી નામધારી શંકાના ઘેરામાં છે અને પોલીસ તેમનો ગુનાહિત ઇતિહાસ તપાસી રહી હતી. ગુરુવારે દિલ્હી પોલીસે નામધારીની શોધખોળમાં ઉત્તર પ્રદેશને રામપુર અને ઉત્તરાખંડના બાજપુર વિસ્તારોમાં નામધારીના ફાર્મ હાઉસ સહિત ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે મોબાઇલ લોકેશન ટ્રેસ કરતા તે શુક્રવારે બાજપુર પહોચ્યા હતા.
શુક્રવારે બપોરે દિલ્હી પોલીસે સ્થાનિક પોલીસ સાથે મળી નામધારીના તાળી ફાર્મ પહોંચ્યા હતા. જ્યાથી પોલીસ નામધારીને પોતાની સાથે પોલીસ મથકે લેતી આવી. પત્રકારોને નામધારીએ કહ્યું કે દિલ્હી પોલીસને તેમણે જ બોલાવ્યા છે અને પોતાની મરજીથી તેમની સાથે જઇ રહ્યાં છે. ઉત્તરાખંડ પોલીસે નામધારીની ધરપકડની પૃષ્ટી કરી છે. પોલીસ નામધારીને લઇને સાડા ત્રણ વાગ્યે દિલ્હી માટે રવાના થયા. ગત 17 નવેમ્બરે દિલ્હીમાં થયેલા ડબલ હત્યાકાંડ મુદ્દે મહરૌલી પોલીસ સ્ટેશન ખાતે ત્રણ કેસ દાખલ છે. તેની તપાસ કરતા પોલીસે આ ધરપકડ કરી છે.