નીતિશ નહીં મોદીથી લાલુને લાગે છે ડર, માન્યા નંબર-1 દુશ્મન
પટણા, 18 ડિસેમ્બર: ચારા કૌભાંડમાં 5 વર્ષની જેલની સજા ભોગવી રહેલા આરજેડીના સુપ્રીમોને સુપ્રીમ કોર્ટે જામીન પર છોડ્યા છે. લાલુ બિરસા મુંડા જેલથી આઝાદ થઇ ગયા છે. આઝાદીની સાથે જ લાલુ રાજનીતિમાં પોતાની ગૂમાવેલી સાખને પાછી મેળવવા માટે કામે લાગી ગયા છે. લાલુએ જેલથી નીકળીને રોડ શૉ કરીને લોકોની વચ્ચે તેમની હાજરીનું પ્રમાણ આપવા લાગ્યા છે. લાલુ પ્રસાદ યાદવે આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી માટે પોતાની તૈયારીમાં લાગી ગયા છે.
હાલમાં જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો પરચમ લહેરાવ્યો અને તેની સાથે કોંગ્રેસ અને આરજેડીની ચિંતામાં વધારો કરી દીધો છે. ભાજપની જીતથી લાલુ યાદવ પોતાની રણનીતિમાં ફેરફાર કરી રહ્યા છે. આરજેડી માટે અત્યાર સુધી માત્ર નીતિશ કુમાર જ પડકાર તરીકે હતા, પરંતુ હવે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ લાલુ માટે મોટો પડકાર બની ગયા છે.
માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી ધર્મનિરપેક્ષતાના સહારે નરેન્દ્ર મોદીને પોતાના નિશાના પર લેશે. ખાસ વાત એ છે કે નીતિશની પાર્ટી કોંગ્રેસ સાથે જોડાય તેવી સંભાવનાના ખત્મ થયા બાદ માનવામાં આવી રહ્યું છે કે આરજેડી કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. જો કે જે રીલે સીબીઆઇએ લાલુની જામીન માટે વિરોધ ના કર્યો, તેનાથી તેની સંભાવના વધી જાય છે. કોંગ્રેસ લાલુનો ઉપયોગ બિહારમાં નરેન્દ્ર મોદીની વિરોધમાં પ્રચાર કરવામાં કરી શકે છે.