Pics: મોદીએ જુકરબર્ગને પૂછ્યું સોશિયલ મીડિયાથી કેવી રીતે અટકશે આતંકવાદ
નવી દિલ્હી: શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફેસબુક સીઇઓ માર્ક જુકરબર્ગ વચ્ચે મુલાકાત થઇ. આ મુલાકાતમાં આમ તો ઘણા બધા પાસાઓની ચર્ચા કરવામાં આવી પરંતુ નરેન્દ્ર મોદીએ જુકરબર્ગની સાથે આ મુલાકાતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આતંકવાદને રોકવાના પ્રયત્ન વિશે મોડે સુધી વાત કરી.
કેવી રીતે અટકશે આતંકવાદ
આધિકારીક નિવેદન અનુસાર નરેન્દ્ર મોદીએ માર્ક જુકરબર્ગને કહ્યું કે ટેરરિસ્ટ ઓર્ગનાઇઝેશન પોતના સભ્યોની ભરતી માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદીના અનુસાર આ દુભાર્ગ્યપૂર્ણ છે અને આપણે સોશિયલ મીડિયાની આ ભૂમિકા પર વિચારવાની જરૂરિયાત છે શું તે આતંકવાદને રોકી શકે છે.
ફેસબુક લાવશે ક્લીન ઇન્ડિયા એપ
ફેસબુકના કો-ફાઉન્ડરની સાથે જે મુદ્દાઓ પર ચર્ચા થઇ તેમાં સ્વચ્છ ભારત મિશન પણ સામેલ કરશે. વડાપ્રધાને મળવા આવેલા જુકરબર્ગે સ્વાસ્થ તથા શિક્ષણના ક્ષેત્રમાં સરકારની સાથે કામ કરવામાં પોતાની રૂચિ વ્યક્ત કરી. ટૂંક સમયમાં 'ક્લીન ઇન્ડિયા' નામથી એક એપ જાહેર કરવાની છે.
રવિશંકર પ્રસાદ પણ મળ્યા જુકરબર્ગને
નિવેદન અનુસાર, વડાપ્રધાન અને જુકરબર્ગે માનવતાની સેવામાં મોટી સંખ્યામાં લોકોને જોડાવામાં એક મંચના રૂપમાં ફેસબુકનો નવા ઉપયોગથી સંબદ્ધ વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરી.
ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત પર ચર્ચા
બંનેએ 'ડિજીટલ ઇન્ડિયા' પહેલ પર ચર્ચા કરી અને વડાપ્રધાને માર્ક જુકરબર્ગ સાથે ડિજિટલ ઇન્ડિયાના કેટલાક ડોનિમની ઓળખ કરવા માટે કહ્યું, જ્યાં ફેસબુક જોડાઇ શકે છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રી રહેતા ગુમ બાળકોને શોધવા માટે જેમ વિભિન્ન અભિયાનોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને કેવી રીતે તેનું સારું પરિણામ મળ્યું.
કેવી રીતે વધી શકે છે ફેસબુકના માધ્યમથી પર્યટન
વડાપ્રધાને જુકરબર્ગ સાથે ભારતની સમૃદ્ધિ પર્યટન સંભાવનાઓને ફેસબુકના માધ્યમથી પ્રોત્સાહિત આપવાની અપીલ કરી. તેમને ફેસબુકને તેના પર ધ્યાન આપવા માટે કહ્યું કે કયા પ્રકારે ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સાથે ઇન્ટરનેટ સાક્ષરતા વધારી શકાય.
દિવસે રવિશંકર પ્રસાદને મળ્યા જુકરબર્ગ
આ પહેલાં જુકરબર્ગે ટેલિકોમ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી રવિ શંકર પ્રસાદ સાથે મુલાકાત કરી હતી.
અમેરિકાના ત્રીજા મશહૂર સીઇઓ આવ્યા ભારત
જુકરબર્ગ અમેરિકાના એવા ત્રીજા જાણીતા નેતા છે જે ગત કેટલાક અઠવાડિયાથી ભારતની યાત્રા પર આવ્યા છે. આ પહેલાં અમેજોનના જેફ બેસોસ તથા માઇક્રોસોફ્તના સત્ય નડેલા ભારતા આવ્યા હતા.