બે મંત્રીઓના કારણે આજે લોકસભામાં થઇ મોદીની ફજેતી
નવી દિલ્હી, 6 જૂન: આજે લોકસભાની કાર્યવાહી દરમિયાન બે પ્રસંગો એવા બન્યા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસહજ સ્થિતિમાં મૂકાઇ ગયા. જોકે મોદીને અસહજ સ્થિતિમાં મૂકવાવાળું બીજું કોઇ નહીં પરંતુ તેમના બે મંત્રીઓ હતા.
વાત જાણે એમ છે કે આજે લોકસભામાં જ્યારે સ્પીકરની ચૂંટણી થઇ રહી હતી, ત્યારે મોદીએ પહેલી અસહજ સ્થિતિમાં ત્યારે મૂકાવું પડ્યું જ્યારે સુમિત્રા મહાજનના નામનો પ્રસ્તાવ પસાર કરવાનો હતો.
લોકસભા અધ્યક્ષની ચૂંટણી થઇ રહી હતી. 17 પ્રસ્તાવ સુમિત્રા મહાજનના પક્ષમાં હતા. 15માં નંબરના પ્રસ્તાવ પહેલા વડાપ્રધાન એચડી દેવીગૌડાએ કરવાનું હતું અને અનુમોદન અનંત કુમારને કરવાનું હતું. દેવેગૌડાએ પ્રસ્તાવ કર્યો પરંતુ અનુમોદન માટે અનંત કુમાર એ સમયે લોકસભામાં હતા જ નહીં. સદાનંદ ગૌડાએ એની પર જણાવ્યું કે હું સમર્થન કરી દઉ છું. પ્રોટેમ સ્પીકર કમલનાથે આની પર ઇનકાર કર્યો અને પ્રસ્તાવને રદ કરી દીધો.
જોકે ગોયલ તે સમયે લોકસભામાં હાજર ન્હોતા. વિપક્ષ તરફથી બે-ચાર અવાજ આવ્યા, છે જ નહીં. પાંચ સેકન્ડ સુધી મોદીએ પાછળ ફરીને જોયું. અને કહ્યું ઠીક છે હું બાદમાં પરિચય કરાવી દઇશ.