નરેન્દ્ર મોદી કોમ્યુનલ નેતા હોવાના પુરાવા નથી: અણ્ણા હઝારે
ઇન્દોર, 18 જુલાઇ: જનલોકપાલ માટે આંદોલન કરનારા સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેએ જણાવ્યું છે કે તે નરેન્દ્ર મોદીને કોમ્યુનલ નથી માનતા. મધ્ય પ્રદેશમાં જનતંત્રયાત્રાના છેલ્લા દિવસે બુધવારે ઇન્દોર પહોંચેલા પ્રધાનમંત્રી મનમોહન સિંહને ઇમાનદાર માનવાથી ઇનકાર કરી દીધો. આ પહેલા દિલ્હીમાં જન લોકપાલ માટે અનશન દરમિયાન પણ અણ્ણાએ નરેન્દ્ર મોદીના વિકાસના વખાણ કર્યા હતા જેના કારણે તેઓ વિરોધીઓના નિશાના પર આવી ગયા હતા.
મોદીના કોમી નેતા હોવાના પુરાવા નથી :
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર કોમ્યનલ વિચારધારાના નેતા હોવાના રાજકિય આરોપો પર તેમણે જણાવ્યું કે 'મોદી કોમ્યુનલ નેતા હોવાના કોઇ પુરાવા મારી સામે હજી સુધી આવ્યા નથી.' જોકે આની સાથે કોંગ્રેસ અને બીજેપી બંને પાર્ટીઓને આડેહાથ લેતા અણ્ણા હઝારેએ જણાવ્યું કે હું કોઇપણ પાર્ટીનો પક્ષપાત નથી કરી રહ્યો. નથી કોંગ્રેસ ગુણવત્તાસભર ચાલી રહી કે નથી બીજેપી. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી ભારતનો પ્રધાનમંત્રી કોઇ પાર્ટી દ્વારા ચૂંટવામાં આવશે. ત્યાં સુધી દેશ અને સમાજને સાચો પ્રધાનમંત્રી નહીં મળી શકે. અણ્ણાએ જણાવ્યું કે દેશને સાચા રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ત્યારે જ મળશે જ્યારે તેમની ચૂંટણી સીધી જનતા દ્વારા નહીં કરવામાં આવે.
અરવિંદની પાર્ટીને પણ સમર્થન નહીં:
અણ્ણા હઝારેએ દાવો કર્યો કે ભારતીય સંવિધાન ઉમેદવારોને ગ્રુપમાં ચૂંટણી લડવાની પરવાનગી નથી આપતી. તેમણે જણાવ્યું કે જનતાએ સંવિધાનની મૂળ ભાવના અનુસાર ચૂંટણીપંચની પાર્ટી આધારિત વ્યવસ્થાને ખતમ કરીને પોતાના ઉમેદવાર ઉભા કરવા જોઇએ. તેમણે એક સવાલના જવાબમાં જણાવ્યું કે 'જોકે અરવિંદ કેજરીવાલની આપ પાર્ટી પણ એક રાજકીય દળ છે. માટે હું આ પાર્ટીનું પણ સમર્થન કરી શકું નહીં.'
ફરી કરવામાં આવશે આંદોલન:
હઝારેએ જન લોકપાલ બિલને લઇને કેન્દ્ર સરકાર પર વચન નહીં પાળવાનો આરોપ લગાવ્યો. આની સાથે જ આવનારા દિવસોમાં મોટા જન આંદોલનના પણ સંકેત આપ્યા. તેમણે જણાવ્યું કે 'હજી અમે જનતાને જગાવી રહ્યા છીએ. અમે ઓક્ટોબર 2013થી જાન્યુઆરી 2014ની વચ્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં ફરી આંદોલન કરીશું અને દેશની જનતા 2011ની જેમ ફરી માર્ગો પર ઉતરી આવશે.' શું ભારતમાં પણ મિસ્રની જેમ સત્તા પલટો થઇ શકે છે, એવા સવાલના જવામાં તેમણે જણાવ્યું કે 'જો સરકારે જનતાના મુદ્દાઓ પર વિચાર ના કર્યો તો જનતાએ તેમની સરહદો વટાવી દેશ અહિંસક ક્રાંતિના માર્ગ પર આગળ વધી શકે છે.'
કોંગ્રેસ-બીજેપી સાથે કોઇ લેવાદેવા નથી:
હઝારેએ એક સવાલના જવાબમાં સ્પષ્ટતા આપતા જણાવ્યું કે 'એવું કહેવું બિલકૂલ ખોટું રહેશે કે હું કોંગ્રેસના વિરોધમાં છું. અમારે કોંગ્રેસ અને બીજેપી સાથે કોઇ લેવાદેવા નથી. પરંતુ મારો સવાલ એ છે કે બીજેપીએ કોલસા ઘોટાળામાં સંસદમાં યોગ્ય વિરોધ શા માટે ના કર્યો?'
કોલસા કૌભાંડ પર રાજીનામું આપે પ્રધાનમંત્રી:
અણ્ણા હઝારેએ કથિત કોલસા કૌભાંડમાં નૈતિક આધારે પ્રધાનમંત્રી મનમોહન સિંહનું રાજીનામું માંગતા જણાવ્યું કે આ ગોટાળાનું સત્ય સામે આવી રહ્યું છે અને મનમોહનસિંહે પોતાના હોદ્દા પર ના રહેવું જોઇએ. તેમણે કોલસા કાંડને મોટું કૌભાંડ ગણાવ્યું અને સીબીઆઇ દ્વારા થઇ રહેલી તેની તપાસ તથા સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી ટિપ્પણી પરથી સત્યતા સામે આવવાની આશા વ્યક્ત કરી.

મોદીના કોમી નેતા હોવાના પુરાવા નથી
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર કોમ્યનલ વિચારધારાના નેતા હોવાના રાજકિય આરોપો પર તેમણે જણાવ્યું કે 'મોદી કોમ્યુનલ નેતા હોવાના કોઇ પુરાવા મારી સામે હજી સુધી આવ્યા નથી.'

અરવિંદની પાર્ટીને પણ સમર્થન નહીં
અણ્ણા હઝારેએ દાવો કર્યો કે ભારતીય સંવિધાન ઉમેદવારોને ગ્રુપમાં ચૂંટણી લડવાની પરવાનગી નથી આપતી. તેમણે જણાવ્યું કે જનતાએ સંવિધાનની મૂળ ભાવના અનુસાર ચૂંટણીપંચની પાર્ટી આધારિત વ્યવસ્થાને ખતમ કરીને પોતાના ઉમેદવાર ઉભા કરવા જોઇએ. તેમણે એક સવાલના જવાબમાં જણાવ્યું કે 'જોકે અરવિંદ કેજરીવાલની આપ પાર્ટી પણ એક રાજકીય દળ છે. માટે હું આ પાર્ટીનું પણ સમર્થન કરી શકું નહીં.'

ફરી કરવામાં આવશે આંદોલન
હઝારેએ જન લોકપાલ બિલને લઇને કેન્દ્ર સરકાર પર વચન નહીં પાળવાનો આરોપ લગાવ્યો. આની સાથે જ આવનારા દિવસોમાં મોટા જન આંદોલનના પણ સંકેત આપ્યા. તેમણે જણાવ્યું કે 'હજી અમે જનતાને જગાવી રહ્યા છીએ. અમે ઓક્ટોબર 2013થી જાન્યુઆરી 2014ની વચ્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં ફરી આંદોલન કરીશું અને દેશની જનતા 2011ની જેમ ફરી માર્ગો પર ઉતરી આવશે.'

કોંગ્રેસ-બીજેપી સાથે કોઇ લેવાદેવા નથી
હઝારેએ એક સવાલના જવાબમાં સ્પષ્ટતા આપતા જણાવ્યું કે 'એવું કહેવું બિલકૂલ ખોટું રહેશે કે હું કોંગ્રેસના વિરોધમાં છું. અમારે કોંગ્રેસ અને બીજેપી સાથે કોઇ લેવાદેવા નથી. પરંતુ મારો સવાલ એ છે કે બીજેપીએ કોલસા ઘોટાળામાં સંસદમાં યોગ્ય વિરોધ શા માટે ના કર્યો?'

કોલસા કૌભાંડ પર રાજીનામું આપે પ્રધાનમંત્રી
અણ્ણા હઝારેએ કથિત કોલસા કૌભાંડમાં નૈતિક આધારે પ્રધાનમંત્રી મનમોહન સિંહનું રાજીનામું માંગતા જણાવ્યું કે આ ગોટાળાનું સત્ય સામે આવી રહ્યું છે અને મનમોહનસિંહે પોતાના હોદ્દા પર ના રહેવું જોઇએ. તેમણે કોલસા કાંડને મોટું કૌભાંડ ગણાવ્યું અને સીબીઆઇ દ્વારા થઇ રહેલી તેની તપાસ તથા સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી ટિપ્પણી પરથી સત્યતા સામે આવવાની આશા વ્યક્ત કરી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
