નરેન્દ્ર મોદી કોમ્યુનલ નેતા હોવાના પુરાવા નથી: અણ્ણા હઝારે
ઇન્દોર, 18 જુલાઇ: જનલોકપાલ માટે આંદોલન કરનારા સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેએ જણાવ્યું છે કે તે નરેન્દ્ર મોદીને કોમ્યુનલ નથી માનતા. મધ્ય પ્રદેશમાં જનતંત્રયાત્રાના છેલ્લા દિવસે બુધવારે ઇન્દોર પહોંચેલા પ્રધાનમંત્રી મનમોહન સિંહને ઇમાનદાર માનવાથી ઇનકાર કરી દીધો. આ પહેલા દિલ્હીમાં જન લોકપાલ માટે અનશન દરમિયાન પણ અણ્ણાએ નરેન્દ્ર મોદીના વિકાસના વખાણ કર્યા હતા જેના કારણે તેઓ વિરોધીઓના નિશાના પર આવી ગયા હતા.
મોદીના કોમી નેતા હોવાના પુરાવા નથી :
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર કોમ્યનલ વિચારધારાના નેતા હોવાના રાજકિય આરોપો પર તેમણે જણાવ્યું કે 'મોદી કોમ્યુનલ નેતા હોવાના કોઇ પુરાવા મારી સામે હજી સુધી આવ્યા નથી.' જોકે આની સાથે કોંગ્રેસ અને બીજેપી બંને પાર્ટીઓને આડેહાથ લેતા અણ્ણા હઝારેએ જણાવ્યું કે હું કોઇપણ પાર્ટીનો પક્ષપાત નથી કરી રહ્યો. નથી કોંગ્રેસ ગુણવત્તાસભર ચાલી રહી કે નથી બીજેપી. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી ભારતનો પ્રધાનમંત્રી કોઇ પાર્ટી દ્વારા ચૂંટવામાં આવશે. ત્યાં સુધી દેશ અને સમાજને સાચો પ્રધાનમંત્રી નહીં મળી શકે. અણ્ણાએ જણાવ્યું કે દેશને સાચા રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ત્યારે જ મળશે જ્યારે તેમની ચૂંટણી સીધી જનતા દ્વારા નહીં કરવામાં આવે.
અરવિંદની પાર્ટીને પણ સમર્થન નહીં:
અણ્ણા હઝારેએ દાવો કર્યો કે ભારતીય સંવિધાન ઉમેદવારોને ગ્રુપમાં ચૂંટણી લડવાની પરવાનગી નથી આપતી. તેમણે જણાવ્યું કે જનતાએ સંવિધાનની મૂળ ભાવના અનુસાર ચૂંટણીપંચની પાર્ટી આધારિત વ્યવસ્થાને ખતમ કરીને પોતાના ઉમેદવાર ઉભા કરવા જોઇએ. તેમણે એક સવાલના જવાબમાં જણાવ્યું કે 'જોકે અરવિંદ કેજરીવાલની આપ પાર્ટી પણ એક રાજકીય દળ છે. માટે હું આ પાર્ટીનું પણ સમર્થન કરી શકું નહીં.'
ફરી કરવામાં આવશે આંદોલન:
હઝારેએ જન લોકપાલ બિલને લઇને કેન્દ્ર સરકાર પર વચન નહીં પાળવાનો આરોપ લગાવ્યો. આની સાથે જ આવનારા દિવસોમાં મોટા જન આંદોલનના પણ સંકેત આપ્યા. તેમણે જણાવ્યું કે 'હજી અમે જનતાને જગાવી રહ્યા છીએ. અમે ઓક્ટોબર 2013થી જાન્યુઆરી 2014ની વચ્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં ફરી આંદોલન કરીશું અને દેશની જનતા 2011ની જેમ ફરી માર્ગો પર ઉતરી આવશે.' શું ભારતમાં પણ મિસ્રની જેમ સત્તા પલટો થઇ શકે છે, એવા સવાલના જવામાં તેમણે જણાવ્યું કે 'જો સરકારે જનતાના મુદ્દાઓ પર વિચાર ના કર્યો તો જનતાએ તેમની સરહદો વટાવી દેશ અહિંસક ક્રાંતિના માર્ગ પર આગળ વધી શકે છે.'
કોંગ્રેસ-બીજેપી સાથે કોઇ લેવાદેવા નથી:
હઝારેએ એક સવાલના જવાબમાં સ્પષ્ટતા આપતા જણાવ્યું કે 'એવું કહેવું બિલકૂલ ખોટું રહેશે કે હું કોંગ્રેસના વિરોધમાં છું. અમારે કોંગ્રેસ અને બીજેપી સાથે કોઇ લેવાદેવા નથી. પરંતુ મારો સવાલ એ છે કે બીજેપીએ કોલસા ઘોટાળામાં સંસદમાં યોગ્ય વિરોધ શા માટે ના કર્યો?'
કોલસા કૌભાંડ પર રાજીનામું આપે પ્રધાનમંત્રી:
અણ્ણા હઝારેએ કથિત કોલસા કૌભાંડમાં નૈતિક આધારે પ્રધાનમંત્રી મનમોહન સિંહનું રાજીનામું માંગતા જણાવ્યું કે આ ગોટાળાનું સત્ય સામે આવી રહ્યું છે અને મનમોહનસિંહે પોતાના હોદ્દા પર ના રહેવું જોઇએ. તેમણે કોલસા કાંડને મોટું કૌભાંડ ગણાવ્યું અને સીબીઆઇ દ્વારા થઇ રહેલી તેની તપાસ તથા સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી ટિપ્પણી પરથી સત્યતા સામે આવવાની આશા વ્યક્ત કરી.

મોદીના કોમી નેતા હોવાના પુરાવા નથી
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર કોમ્યનલ વિચારધારાના નેતા હોવાના રાજકિય આરોપો પર તેમણે જણાવ્યું કે 'મોદી કોમ્યુનલ નેતા હોવાના કોઇ પુરાવા મારી સામે હજી સુધી આવ્યા નથી.'

અરવિંદની પાર્ટીને પણ સમર્થન નહીં
અણ્ણા હઝારેએ દાવો કર્યો કે ભારતીય સંવિધાન ઉમેદવારોને ગ્રુપમાં ચૂંટણી લડવાની પરવાનગી નથી આપતી. તેમણે જણાવ્યું કે જનતાએ સંવિધાનની મૂળ ભાવના અનુસાર ચૂંટણીપંચની પાર્ટી આધારિત વ્યવસ્થાને ખતમ કરીને પોતાના ઉમેદવાર ઉભા કરવા જોઇએ. તેમણે એક સવાલના જવાબમાં જણાવ્યું કે 'જોકે અરવિંદ કેજરીવાલની આપ પાર્ટી પણ એક રાજકીય દળ છે. માટે હું આ પાર્ટીનું પણ સમર્થન કરી શકું નહીં.'

ફરી કરવામાં આવશે આંદોલન
હઝારેએ જન લોકપાલ બિલને લઇને કેન્દ્ર સરકાર પર વચન નહીં પાળવાનો આરોપ લગાવ્યો. આની સાથે જ આવનારા દિવસોમાં મોટા જન આંદોલનના પણ સંકેત આપ્યા. તેમણે જણાવ્યું કે 'હજી અમે જનતાને જગાવી રહ્યા છીએ. અમે ઓક્ટોબર 2013થી જાન્યુઆરી 2014ની વચ્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં ફરી આંદોલન કરીશું અને દેશની જનતા 2011ની જેમ ફરી માર્ગો પર ઉતરી આવશે.'

કોંગ્રેસ-બીજેપી સાથે કોઇ લેવાદેવા નથી
હઝારેએ એક સવાલના જવાબમાં સ્પષ્ટતા આપતા જણાવ્યું કે 'એવું કહેવું બિલકૂલ ખોટું રહેશે કે હું કોંગ્રેસના વિરોધમાં છું. અમારે કોંગ્રેસ અને બીજેપી સાથે કોઇ લેવાદેવા નથી. પરંતુ મારો સવાલ એ છે કે બીજેપીએ કોલસા ઘોટાળામાં સંસદમાં યોગ્ય વિરોધ શા માટે ના કર્યો?'

કોલસા કૌભાંડ પર રાજીનામું આપે પ્રધાનમંત્રી
અણ્ણા હઝારેએ કથિત કોલસા કૌભાંડમાં નૈતિક આધારે પ્રધાનમંત્રી મનમોહન સિંહનું રાજીનામું માંગતા જણાવ્યું કે આ ગોટાળાનું સત્ય સામે આવી રહ્યું છે અને મનમોહનસિંહે પોતાના હોદ્દા પર ના રહેવું જોઇએ. તેમણે કોલસા કાંડને મોટું કૌભાંડ ગણાવ્યું અને સીબીઆઇ દ્વારા થઇ રહેલી તેની તપાસ તથા સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી ટિપ્પણી પરથી સત્યતા સામે આવવાની આશા વ્યક્ત કરી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ










Click it and Unblock the Notifications
