પીએમ મોદીએ આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગારનો કર્યો શુભારંભ
મજૂરોને રોજગાર પૂરો પાડવા માટે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાનની શરૂઆત કરી.
વૈશ્વિક મહામારીના કારણે દેશમાં ઘણા મહિનાઓ સુધી લૉકડાઉન હતુ આના કારણે લાખો પ્રવાસી મજૂર જે બીજા રાજ્યોમાં નોકરી કરીને રહ્યા તેમને મજબૂર થઈને પાછા ઘરે આવવુ પડ્યુ જેના કારણે તેમનો રોજગાર છીનવાઈ ગયો. મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશના પ્રવાસી મજૂરી પણ પાછા પોતાના ઘરે પાછા આવ્યા છે. એવાં આ મજૂરોને રોજગાર પૂરો પાડવા માટે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાનની શરૂઆત કરી. તેમણે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આ અભિયાનની શરૂઆત કરી. આ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે અમે બધાએ પોતાના વ્યક્તિગત જીવનમાં અમેક ઉતાર-ચડાવ જોયા છે. અમારા સામાજિક જીવનમાં પણ ગામમાં, શહેરમાં, અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ આવતી રહે છે. આની એક દવા અમે ખબર છે. આ દવા છે બે - મોઢુ ઢાંકવુ, ફેસકવર કે ગમછાનો ઉપયોગ કરવો. જ્યાં સુધી કોરોનાની વેક્સીન નથી બની, અમે આ દવાથી જ તેેને રોકી શકીશુ.
પીએમે કહ્યુ કે મને પૂરો વિશ્વાસ છે કે યોગીજીના નેતૃત્વમાં જે રીતે કુદરતી આફતને અવસરમાં બદલવામાં આવ્યો છે જે રીતે તે ખૂબ મહેનતથી લાગેલા છે. દેશના અન્ય રાજ્યોએ પણ આ યોજનાથી ઘણુ શીખવા મળશે તેને પણ આનાથી પ્રેરણ મળશે. આજે જ્યારે દુનિયામાં કોરોાનાનુ આટલુ મોટુ સંકટ છે ત્યારે ઉત્તરપ્રદેશે જે સાહસ બતાવ્યુ જે સૂઝબૂઝ બતાવી છે જે સફળતા મેળવી, જે રીતે કોરોનાથી મોરચો લીધો જે રીતે સ્થિતિઓને સંભાળી, તે અભૂતપૂર્વ છે, પ્રશંસનીય છે.












Click it and Unblock the Notifications
