રાજ્યોની સુરક્ષા પર મુખ્યમંત્રીઓની બેઠકથી દૂર રહેશે નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, (વિવેક શુક્લા): ખૂબ જ વ્યસ્ત હોવાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરીના રોજ રાજધાનીમાં આતંકરિક સુરક્ષા પર થનારા મુખ્યમંત્રીઓના સમ્મેલનમાં ભાગ નહીં લઇ શકે. જોકે હજી એ નથી જાણી શકાયું કે 31 જાન્યુઆરીના રોજ મોદી કયા કાર્યક્રમમાં વ્યસ્ત રહેશે, જેના કારણે તેઓ આતંરિક સુરક્ષા પર થઇ રહેલા સમ્મેલનમાં હાજરી નહીં આપી શકે.
તેમના પ્રધાનમંત્રિત્વકાળ દરમિયાન થઇ રહેલી આ મહત્વના સમ્મેલનમાં માઓવાદી હિંસાથી લઇને હાલના દૌરમાં પૂર્વોત્તર રાજ્યોમાં બોડો ઉગ્રવાદીઓની હરકતો પર કાબૂ મેળવવા પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.
માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વડાપ્રધાનના આતંરિક સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ પોતાની વાત રજૂ કરશે કે કેવી રીતે દેશમાં આંતરિક સુરક્ષાને મજબૂત કરવામાં આવી શકે છે. સામાન્ય રીતે આ પ્રકારની બેઠકોની અધ્યક્ષતા વડાપ્રધાન કરે છે, પરંતુ આ વખતે તેની અધ્યક્ષતા ગૃહમંત્રી રાજનાથ સિંહ કરશે.
આતંરિક સુરક્ષા પર થનારી આ બેઠકમાં મુખ્યમંત્રીઓ ઉપરાંત ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ હાજરી આપવાના છે.