નરેન્દ્ર મોદીનું મિશન બિહાર, આજે પૂર્ણિયામાં રેલી
પટણા, 10 માર્ચ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર ન્રેન્દ્ર મોદી આજે ફરી 'મિશન બિહાર' પર છે. નરેન્દ્ર મોદીના પૂર્ણિયામાં રેલી દરમિયાન હુંકાર ભરવા જઇ રહ્યાં છે. બિહારમાં રામવિલાસ પાસવાનના રૂપમાં નવા મિત્ર મળી ગયા છે, તો પાર્ટીના આશાઓ વધી ગઇ છે, હવે મોદીએ પણ ચૂંટણી પહેલાં જોર લગાવી દિધું છે.
બિહારમાં નરેન્દ્ર મોદીની પ્રથમ રેલી પટણામાં થઇ હતી, પટના રેલીમાં બ્લાસ્ટ બાદ લાંબા સમય માટે નરેન્દ્ર મોદીનું 'બિહાર અભિયાન' અટકી ગયું હતું, પરંતુ મુજફ્ફરમાં હુંકારની સાથે નરેન્દ્ર મોદીએ ના ફક્ત નવા સાથીઓની સાથે 'મિશન બિહાર'નો બીજો તબક્કો શરૂ કરશે, પરંતુ હવે તેને ઝડપી પણ બનાવવામાં આવશે.
સોમવારે બપોરે એક વાગે નરેન્દ્ર મોદી પૂર્ણિયામાં રેલી કરીને ના ફક્ત પૂર્વી બિહારના મોટા ભાગમાં કમળની જ્યોત સળગાવશે, પરંતુ બિહાર સીમાથી પશ્વિમ બંગાળના મતદારોને પણ રિઝવશે.
દેશમાં નરેન્દ્ર મોદીની આંધી ચાલી રહી છે, તો તેમની પ્રશંસા પણ કરવામાં આવે છે. એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે પણ નરેન્દ્ર મોદીના અનુયાયીઓમાં સામેલ થઇ ગયા છે. જ્યાં સુધી ભાજપમાં નરેન્દ્ર મોદીની સીટને લઇને મતભેદની વાત છે, તો પાર્ટીને તેને નકારી રહી છે. સ્પષ્ટતા રજૂ કરવામાં આવી રહી છે કે નરેન્દ્ર મોદીને વારાણસીથી લડાવવાને લઇને કોઇપણ પાર્ટી નેતૃત્વથી નારાજ નથી.
મીડિયાની સામે ભાજપના અંદરૂની ઝઘડાનો પર્દાફાશ થઇ ગયો છે પરંતુ પ્રશ્ન હજુ એ છે કે આ ઝઘડા કેમ થાય છે, રાજ ઠાકરેના 'નમો રાગ' બાદ શિવસેના ચૂપ બેસશે?
આમ તો નરેન્દ્ર મોદીનો ઉત્સાહ વધારવાનું એક કારણ એ પણ હોય શકે કે લાલૂના મોંઢેથી મોદી માટે ભલે ક્યારેય ઝેર સિવાય કંઇ નિકળ્યું ન હોય, પરંતુ લાલૂની પુત્રી મીસા અલગ જ લકીર ખેંચતી જોવા મળી રહી છે. મીસાએ નરેન્દ્ર મોદીના ભાષણની કલાના વખાણ કર્યા છે. મુદ્દો પર આધારિત વિકાસ પોતાના સ્થાને છે, પરંતુ નરેન્દ્ર મોદીના ભાષણની મીસા ભારતી પ્રશંસક છે.