For Daily Alerts
ચિદમ્બરમ વિરુધ્ધ જયંતી નટરાજને PMને પત્ર લખ્યો
નટરાજને પોતાના પત્રમાં લખ્યું છે કે જો નેશનલ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ બન્યું તો એ તેમના મંત્રાલયની શક્તિને દબાવી દેવા જેવું હશે. નાણા મંત્રી ચિદ્મ્બરમની દરખાસ્ત અનુસાર એનઆઇબીએ રૂપિયા 1000 કરોડથી વધારેનું રોકાણ ધરાવતા પ્રોજેક્ટ પાસ કરવાની તાકીદ આપવામાં આવશે.
આ પ્રસ્તાવિત બોર્ડ રોકાણ દરખાસ્તોને મંજૂરી આપનારા અંતિમ એકમ તરીકે કામ કરશે. આ બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલા રોકાણ પર કોઇ જ મંત્રાલય વિરોધ ઉઠાવી શકશે નહીં. નટરાજને પોતાના પત્રમાં જણાવ્યું છે કે પર્યાવરણ મુદ્દે મંજૂરી આપવાનું કામ તેમનું મંત્રાલય કરે છે ત્યારે તેમાં એનઆઇબીની ભૂમિકા હોવી જોઇએ નહીં.
Comments
jayanthi natarajan p chidambaram prime minister investment board જયંતી નટરાજન પી ચિદમ્બરમ વડાપ્રધાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ
English summary
Jayanthi Natarajan writes to PM against Chidambaram's proposal.
Story first published: Wednesday, October 10, 2012, 12:52 [IST]