ઔરંગાબાદ: નક્સલીઓનું તાંડવ, 100 રાઉન્ડ ફાયરિંગ, 1 ની મૌત
બિહારના ઔરંગાબાદમાં એક મોટો નક્સલી હુમલો સામે આવ્યો છે. અહીં નક્સલીઓએ 6 ગાડીઓને આગ લગાવી દીધી છે.
બિહારના ઔરંગાબાદમાં એક મોટો નક્સલી હુમલો સામે આવ્યો છે. અહીં નક્સલીઓએ 6 ગાડીઓને આગ લગાવી દીધી છે. નક્સલીઓએ અહીં ખુબ જ ઉત્પાત મચાવ્યો અને શનિવારે મોડી રાત્રે ઔરંગાબાદના દેવમાં હુમલો કર્યો. નક્સલીઓએ અહીં એક વૃદ્ધને ગોળી મારી દીધી, જેને કારણે તેની મૌત થઇ ગઈ. તેની સાથે સાથે આતંકીઓએ ચાર બસોને પણ આગ લગાવી દીધી. મળતી જાણકારી અનુસાર મૃતક ભાજપા વિધાન પરિષદ સદસ્ય રાજેન્દ્ર કુમાર સિંહના કાકા હતા.
નક્સલીએ સામુદાયિક ભવનમાં વિસ્ફોટ કરીને તેને ઉડાવી દીધો. અહીં નક્સલીઓએ 100 કરતા પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરી અને 10 ગાડીઓને આગ લગાવી દીધી. નક્સલી હુમલાની જાણકારી મળતા જ સીઆરપીએફ અને પોલીસ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને ઘેરાબંધી શરુ કરી. પોલીસે નક્સલીઓનો પીછો કર્યો અને આ દરમિયાન બંને વચ્ચે ગોળીબારી પણ થઇ. નક્સલીઓ ઘ્વારા આ ઉત્પાત કેમ મચાવવામાં આવ્યો તેના વિશે હજુ સુધી કોઈ જાણકારી નથી મળી શકી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તેમને દાવો કર્યો છે કે તેઓ ખુબ જ જલ્દી પરિણામ મેળવી લેશે.
Bihar: Naxals torched four buses and shot dead one person in Dev, in Aurangabad, last night; CRPF and district police present at the spot pic.twitter.com/qg8g4n24yT
— ANI (@ANI) December 30, 2018