અર્થવ્યવસ્થા માટે નવુ બુસ્ટર, મોદી સરકારે કરી 1.1 લાખ કરોડના પેકેજની જાહેરાત
ગયા વર્ષે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી હતી. ધીરે ધીરે પરિસ્થિતિ સુધરતી હતી પરંતુ આ વર્ષે એપ્રિલ-મેમાં ઘણા રાજ્યોએ ફરીથી લોકડાઉન લાદવું પડ્યું. આવી સ્થિતિમાં ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ચિંત
ગયા વર્ષે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી હતી. ધીરે ધીરે પરિસ્થિતિ સુધરતી હતી પરંતુ આ વર્ષે એપ્રિલ-મેમાં ઘણા રાજ્યોએ ફરીથી લોકડાઉન લાદવું પડ્યું. આવી સ્થિતિમાં ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક રહી છે. આ જોતાં મોદી સરકારે કોવિડ અસરગ્રસ્ત ક્ષેત્ર માટે 1.1 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. અપેક્ષા છે કે લોકડાઉન પછી નિષ્ક્રીય પડેલા ક્ષેત્રોને આનો ઘણો ફાયદો થશે.
સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે અમે લગભગ 8 આર્થિક રાહત પગલાંની જાહેરાત કરી રહ્યા છીએ, જેમાંથી ચાર સંપૂર્ણ નવા છે. તેના માટે આરોગ્યની માળખાગત સુવિધા પણ ખાસ રાખવામાં આવી છે. જેમાં કોવિડથી અસરગ્રસ્ત ક્ષેત્રો માટે 1.1 લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરેંટી યોજના છે અને આરોગ્ય ક્ષેત્ર માટે 50,000 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. તેમના મતે, ક્રેડિટ ગેરંટી યોજના માઇક્રો ફાઇનાન્સ સંસ્થા દ્વારા લાવવામાં આવી છે. 25 લાખ નાના ઋણ લેનારાઓ સુધી પહોંચવાનું લક્ષ્ય છે. ઉપરાંત, એક વ્યક્તિને મહત્તમ 1.25 લાખની લોન આપવામાં આવશે. રિઝર્વ બેંકના માર્ગદર્શિકા મુજબ નક્કી કરેલા મહત્તમ વ્યાજ દર કરતા વ્યાજ દર 2% ઓછો રહેશે. આ ઉપરાંત નવી ક્રેડિટ ગેરેંટી યોજનામાં એનપીએને બાદ કરતા તાણ ઉધાર લેનારાઓને આવરી લેવામાં આવશે. આ સાથે, આ યોજના નાના શહેરો સહિત અંતરિયાળ વિસ્તારના ઋલેનારાઓ સુધી પણ પહોંચશે.
ભારત સરકારે હવે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને 30 જૂન 2021 થી વધારીને 31 માર્ચ 2022 કરી છે. અત્યાર સુધીમાં આશરે 80,000 મથકોના 21.4 લાખથી વધુ લોકોને લાભ થયો છે. આ સિવાય ડિજિટલ ઇન્ડિયા યોજના હેઠળ રૂપિયા 19,041 કરોડ જાહેર કરવામાં આવશે. જેમાં દેશની તમામ ગ્રામ પંચાયતો સુધી બ્રોડબેન્ડ પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
નાણામંત્રીના જણાવ્યા અનુસાર જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ભારતમાં શરૂ થાય છે, ત્યારે ભારત આવતા 5 લાખ પ્રવાસીઓને વિઝા ફી ચૂકવવાની રહેશે નહીં. આ યોજના 31 માર્ચ 2022 સુધી લાગુ રહેશે. જો આ સમયમર્યાદા પહેલા 5 લાખ લોકો ભારતમાં આવે છે, તો આ યોજના ત્યાં બંધ થઈ જશે. આમાં, એક પ્રવાસી તેનો લાભ ફક્ત એક જ વાર લઈ શકે છે. આ ઉપરાંત, સરકારની નવી ક્રેડિટ ગેરેંટી યોજના 10,700 ટૂરિસ્ટ ગાઇડ્સ અને પર્યટન મંત્રાલય અને રાજ્ય સરકારો દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય હોદ્દેદારોને મદદ કરશે.