For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડના દેવઘરમાં નાસભાગથી 9નાં મોત, 15 ઇજાગ્રસ્ત

|
Google Oneindia Gujarati News

Jharkhand
દેવઘર, 24 સપ્ટેમ્બર : ઝારખંડના દેવઘરમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ટોળું બેકાબૂ બનતા નાસભાગ મચી ગઇ હતી. જેના કારણે 9 લોકોનાં મોત થયા છે. મૃત્યુ પામનારાઓમાં 8 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થનારાઓને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દેવઘર મંદિર પાસે આવેલા સત્સંગ આશ્રમમાં નાસભાગ મચી હતી. અહીં સંત ઠાકુર અનૂકૂલ ચંદ્રના 125મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે શ્રધ્ધાળુઓ એકત્ર થયા હતા. ભીડ અનિયંત્રિત બનતા દુર્ધટના સર્જાઇ હતી.

દેવઘરના એસપી સુબોધ પ્રસાદે જણાવ્યું કે મૃત્યુ પામનારા તમામ 9 લોકોની વય 60 વર્ષથી વધુ છે. તમામનાં મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા છે. મૃત્યુ પામનારામાં 5 લોકોની ઓળખ થઇ ગઇ છે. જેમાંથી 4 બિહારના અને એક ઓરિસ્સાના હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી મોટા ભાગનાને રજા આપી દેવામાં આવી છે.

English summary
Nine people have died and 15 people have been injured in a stampede at a religious function in Deoghar in Jharkhand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X