મુંબઇમાંથી ગુજરાતીઓનો સફાયો કરવા માંગું છું: નિતેશ રાણે
મુંબઇ, 6 નવેમ્બર: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસી નેતા નારાયણ રાણેના પુત્ર અને હાલમાં જ કંકાવલીથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવેલા નિતેશ રાણેએ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતા જ મહારાષ્ટ્રની સાથે સાથે રાષ્ટ્રીય રાજનીતિ ગરમાઇ ગઇ છે. નિતેશ રાણેએ આ ટિપ્પણી ગુજરાતીઓ વિરુદ્ધ કરી છે.
બુધવારે નિતેશ રાણેએ પોતાના ટ્વિટર એકાઉંટ પર લખ્યું હતું કે 'તેઓ વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લેવા માગે છે અને તેની શરૂઆત મુંબઇથી કરવા માગે છે. અને એ તમામ ગુજરાતીઓનો મુંબઇમાંથી સફાયો કરવા માંગુ છું જે મરાઠીઓને નફરત કરે છે.'
Wanna
take
part
in
Swacha
Bharat
abhiyan
n
start
from
mumbai!!
Wanna
start
cleaning
up
all
the
Marathi
hating
gujjus
from
there
once
for
all
—
nitesh
rane
(@NiteshNRane)
November
5,
2014
રાણે પોતાના ટ્વિટર એકાઉંટમાં આજે જણાવે છે કે 'મરાઠી વિરોધી ગુજરાતીવાળા મારી એક ટિપ્પણીથી ચારેબાજુ હોહા થઇ ગયું પરંતુ રોજેરોજ તેમના દ્વારા અપાતી મરાઠી વિરોધી ટિપ્પણી કોઇને નથી દેખાતી.'
So
much
ho
ha
abt
my
statement
on
the
Marathi
hating
gujjus
but
no
1
is
focussing
on
the
hate
statements
passed
by
them
almost
everyday
—
nitesh
rane
(@NiteshNRane)
November
6,
2014
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ ઓગષ્ટમાં રાણેએ ગુજરાતીઓ વિરુદ્ધ ઘણી વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. રાણેએ લખ્યું હતું કે' મુંબઇમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતીઓની સંખ્યા વધવા પામી છે. 36 બેઠકોમાંથી 13 બેઠકો એવી છે જ્યાં ગુજરાતી મતદારો ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરે છે.'
આ ઉપરાંત રાણેએ જણાવ્યું હતું કે 'ગુજરાતીઓને પોતાના ટાવરમાં ફ્લેટ ખરીદવાની પરવાનગી ના આપવી જોઇએ. ખાસ કરીને એવા ગુજરાતીઓને જે માસાહારી હોય. આ રીતે મુંબઇમાં ગુજરાતીઓની સંખ્યા વધવાથી અટકાવી શકાશે.'
અત્રે નોંધીય છે કે નિતેશ રાણેના પિતા નારાયણ રાણે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ગુજરાતી વિરુદ્ધ ઝેર ઓંકવાની સજા મળી ગઇ છે. તેઓ પોતાના ગઢ કુડલ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો નિતેશ રાણે પણ આ રીતે ગુજરાતીઓ વિરુદ્ધ ઝેર ઓંકતા રહ્યા તો તેમને પણ જનતા દ્વારા એકવાર ચોક્કસ લાત મારી દેવામાં આવશે.