નીતિ પંચનું સૂચનઃ દારૂ-તમાકુ મોંઘા કરો, શાળામાં યોગને પ્રોત્સાહન આપો
નીતિ પંચે તમાકુ ઉત્પાદન, દારૂ અને કોલ્ડ ડ્રિંક્સને મોંઘા કરવાનું સૂચન આપ્યુ છે. વળી, આયોગ તરફથી સૂચન આપવામાં આવ્યુ છે કે શાળાઓમાં યોગને પ્રોત્સાહન આપવુ જોઈએ.
નીતિ પંચે તમાકુ ઉત્પાદન, દારૂ અને કોલ્ડ ડ્રિંક્સને મોંઘા કરવાનું સૂચન આપ્યુ છે. વળી, આયોગ તરફથી સૂચન આપવામાં આવ્યુ છે કે શાળાઓમાં યોગને પ્રોત્સાહન આપવુ જોઈએ અને તેને રોજિંદા શાળામાં બાળકો પાસે કરાવવુ જોઈએ જેનાથી તેમની અંદર સારી આદતોનો વિકાસ કરવામાં આવી શકે. બુધવારે પંચ તરફથી સ્ટ્રેટેજી ફોર ન્યૂ ઈન્ડિયા એટ 75 જાહેર કરવામાં આવ્યુ જેમાં નીતિ પંચે કહ્યુ કે આરોગ્યના ક્ષેત્રમાં રોકાણમાં પ્રોત્સાહન આપવુ જોઈએ. વળી, સૂચન આપવામાં આવ્યુ છે કે આ ક્ષેત્રમાં જીડીપીનો 2.5 ટકા ખર્ચ કરવો જોઈએ. લોકોને સારા આરોગ્ય માટે પંચે એ વાતનો પણ સૂચન આપ્યુ છે કે ગામમાં સફાઈ અને રોજના પોષણ પર પણ વિશેષ રીતે ધ્યાન આપવાની જરૂર છે.

પૌષ્ટિક આહારનું મહત્વ
નીતિ પંચે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે ક જો ગામમાં લોકોને રોજના ભોજન પર ધ્યાન આપવામાં આવે તો આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ ઘટી થઈ શકે છે. પંચે કહ્યુ કે માત્ર બાળકોના આરોગ્ય પર ધ્યાન રાખવાના બદલે દરેક વર્ગના ભોજન અને આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. શાળા, કોલેજ, મહિલા સંસ્થાઓમાં સાંસ્કૃતિક કાર્યોક્રમો, મેળા વગેરે દ્વારા જાગૃતતા ફેલાવવાની જરૂરિયાત છે. વળી, સોશિયલ મીડિયાના માધ્યમના લોકો વચ્ચે આરોગ્ય અંગે જાણકારી આપવી જોઈએ. વળી, રાજ્ય સરકાર દ્વારા દરેક એવુ ગ્રુપ તૈયાર કરવુ જોઈએ કે જે રાજ્ય, જિલ્લા, બ્લોક સ્તર પર લોકોને આરોગ્ય અંગે જાગૃત કરો.

ખર્ચ વધારવામાં આવે
પંચ તરફથી કહેવામાં આવ્યુ છે કે ભારતમાં આરોગ્યના ક્ષેત્રમાં અપેક્ષિત રીતે ધ્યાન આપવામાં આવ્યુ નથી. લોકોને બિમારીઓ વિશે જાગૃત કરવુ, આનાથી બચવા માટે સૂચન આપવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ નથી. વર્તમાન સમયમાં આરોગ્ય માટે જાગૃત કરવાના ક્ષેત્રમાં અલગ અલગ કુલ 6.7 ટકા જ ખર્ચ કરવામાં આવે છે. વળી, લોકોના ઈલાજ પર 51 ટકા ખર્ચ કરવામાં આવે છે. જ્યારે બાકીના પૈસા દવાઓ અન્ય મેડીકલ સામાન અને દર્દીઓને લઈ જવામાં ખર્ચ જવામાં આવે છે.

વિશેષ ધ્યાન આપવાની જરૂર
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે લોકોને સારા આરોગ્ય માટે જાગૃત કરવાનું કામ અપ્રશિક્ષિત લોકો પર છોડી ન શકાય. આના માટે એક વિશેષ સંસ્થાની રચનાની જરૂર છે કે જે લોકોને સારા આરોગ્ય માટે જાગૃત કરે. વળી, પંચે મેડીકલ, નર્સિંગ, દવાઓ વગેરેનું શિક્ષણમાં પણ વિશેષ રીતે સુધારની વાત કહી છે. ડૉક્ટરોની સંખ્યામાં વધારો કરવો, નોન ફિઝિશિયન ટ્રેનિંગ, પ્રાઈવેટ સેક્ટરને આ ક્ષેત્રમાં શામેલ કરવા અને તેને પ્રોત્સાહન આપવા પર પણ ધ્યાન આપવાની જરૂર છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?








Click it and Unblock the Notifications
