નિતિ ડિજિટલે 24 કલાકની લાઇવ સ્ટ્રીમિંગ સર્વિસ લોન્ચ કરી
ગાંધીનગર, 2 જુલાઇ : ભારતના રાજકારણ પર બાજ નજર રાખનારી વેબસાઇટ નિતિ ડિજિટલે સોમવાર, 1 જુલાઇ, 2013ના રોજ એનડબલ્યુઆર લાઇવ સ્ટ્રીમિંગ સર્વિસ લોન્ચ કરી હતી. આ સર્વિસ મારફતે ઇન્ટરનેટ યુઝર્સ માટે ન્યુઝ અને વ્યૂઝની 24 કલાક લાઇવ સ્ટ્રીમિંગ સર્વિસ આપવામાં આવી રહી છે. આ સર્વિસ તમે વેબસાઇટ http://nwrlive.com/ પરથી મેળવી શકો છો. આ સેવા તમે કોમ્પ્યુટર, ટેબ, મોબાઇલ વગેરે માધ્યમો મારફતે સરળતાથી મેળવી શકશો.
આ સર્વિસ લોન્ચ થતાની સાથે જ સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક અને ટ્વિટર પર લોકોએ તેને શેર કરવાનું શરૂ કરી દીધું હતું. આ પ્રસંગે રાજકારણ અને મીડિયા સાથે સંકળાયેલી હસ્તિઓ પણ હાજર રહી હતી.
લોન્ચિંગ કાર્યક્રમમાં આરએસએસના વરિષ્ઠ નેતા રામ માધવે એનડબલ્યુઆરના શ્રોતાઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભાજપના નેતાઓ, રાજ્યસભા સાંસદ અને ધ પાયોનિયરના તંત્રી ડૉ ચંદન મિત્રાએ ભારતના સ્વતંત્ર ઑડિયો પ્લેટફોર્મ એનડબલ્યુઆર પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ પ્રવક્તા મીનાક્ષી લેખીએ પણ આ પગલાને આવકારદાયક ગણાવ્યું હતું.
આ પ્રસંગે નિતિ ડિજિટલના ફાઉન્ડર રાજેશ જૈને જણાવ્યું કે આ એક એવું માધ્યમ છે જે ઇન્ટરનેટની દુનિયામાં ક્રાંતિ લાવશે. આ પ્રસંગે નિતિ ડિજિટલના એડિટોરિયલ ડાયરેક્ટર કંચન ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા. http://nwrlive.com/ ની મોબાઇલ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે.