પટણા,
16
ફેબ્રુઆરીઃ
બિહારના
મુખ્યમંત્રી
નીતિશ
કુમારે
દિલ્હીના
મુખ્યમંત્રી
અરવિંદ
કેજરીવાલના
રાજીનામા
પર
પોતાની
પ્રતિક્રિયા
આપતા
કહ્યું
કે,
આ
તો
થવાનું
જ
હતું.
તેમણે
બિન
કોંગ્રેસી
અને
બિન
ભાજપી
મોરચા
અંગે
કહ્યું
કે
વાટાઘાટો
ચાલી
રહી
છે.
પટણામાં
શનિવારે
પત્રકારો
સાથે
વાત
કરતા
કહ્યું
કે,
કેજરીવાલનું
રાજીનામું
આશા
અનુરુપ
છે.
તેમના
રાજીનામા
સિવાય
કંઇ
જ
સંભવ
નથી.
મુખ્યમંત્રીએ
સ્પષ્ટ
શબ્દોમાં
કહ્યું
કે,
જ્યારે
તમે
લોકતંત્રની
પ્રક્રિયાનો
સ્વિકાર
કરો
છો
તો
સંવિધાન
અનુસાર
તેનું
પાલન
પણ
કરવું
પડશે.
નોંધનીય છે કે દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ રજૂ કરવામા અસફળ થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. મુખ્યમંત્રી કેજરીવાલે ઉપરાજ્યપાલને વિધાનસભા ભંગ કરવાની માંગ કરી હતી. જો કે, કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે તે નક્કી છે અને એવી આશા રાખવામાં આવી રહી છે કે, દિલ્હીમાં ટૂંક સમયમાં બીજી વખત વિધાનસભાની ચૂંટણી થઇ શકે છે.