NDA તૂટશે તો નીતિશે રાજીનામુ આપવું પડશે : ભાજપ

આ અંગે ભાજપના નેતા અને બિહારમાં મંત્રી ચંદ્રમોહન રાયે જણાવ્યું કે "નીતિશ કુમાર મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દે. કારણ કે રાજ્યની જનતાએ વર્ષ 2010માં એનડીએને પોતાનું સમર્થન આપ્યું હતું." રાયે જણાવ્યું હતું કે જો વર્તમાન તણાવને કારણે રાજ્યમાં જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) અને ભાજપની રાહ અલગ હોય તો નીતિશ કુમાર મુખ્યમંત્રી પદે ચાલુ રહી શકે નહીં.
આ સમગ્ર સ્થિતિ અંગે એક અન્ય ભાજપા નેતા અને સાંસદ હુકુમદેવ નારાયણ યાદવે પણ આ પ્રકારની માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે "જો યુતિ તૂટે છે તો નીતિશ કુમાર રાજીનામુ આપી દે અને નવેસરથી જનાદેશ આપે."












Click it and Unblock the Notifications
