NDA તૂટશે તો નીતિશે રાજીનામુ આપવું પડશે : ભાજપ

bjp-logo
પટણા, 15 જૂન : બિહારમાં એનડીએ અને જેડીયુ વચ્ચે પડેલી તિરાડ શનિવારે સંપૂર્ણ રીતે સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. નીતિશ કુમારના અક્કડ વલણ સામે ભાજપે જવાબ આપતા જણાવ્યું છે કે જો સત્તાધારી ગઠબંધન એનડીએ તૂટે છે તો રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજીનામુ આપીને નવેસરજી ચૂંટણી યોજીને જનતાનો આધાર પ્રાપ્ત કરી બતાવવો પડશે.

આ અંગે ભાજપના નેતા અને બિહારમાં મંત્રી ચંદ્રમોહન રાયે જણાવ્યું કે "નીતિશ કુમાર મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દે. કારણ કે રાજ્યની જનતાએ વર્ષ 2010માં એનડીએને પોતાનું સમર્થન આપ્યું હતું." રાયે જણાવ્યું હતું કે જો વર્તમાન તણાવને કારણે રાજ્યમાં જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) અને ભાજપની રાહ અલગ હોય તો નીતિશ કુમાર મુખ્યમંત્રી પદે ચાલુ રહી શકે નહીં.

આ સમગ્ર સ્થિતિ અંગે એક અન્ય ભાજપા નેતા અને સાંસદ હુકુમદેવ નારાયણ યાદવે પણ આ પ્રકારની માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે "જો યુતિ તૂટે છે તો નીતિશ કુમાર રાજીનામુ આપી દે અને નવેસરથી જનાદેશ આપે."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X