આસામમાં બની પોલિસી, 2થી વધુ બાળકો તો No સરકારી નોકરી
ચીન સરકારની જેમ જ વસ્તી વધારો રોકવા માટે આસામ સરકારે એક નવી નીતિ જાહેર કરી છે. જે મુજબ બે થી વધુ બાળકો હશે તો સરકારી નોકરી નહીં મળે!
ભારતમાં વસ્તી વધારાના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે અનેક પગલાં ઉઠાવવામાં આવ્યા છે. તેમ જ છતાં વસ્તી વધારો કાબુમાં લેવા માટે અનેક સરકારો નિષ્ફળ રહી છે. જો કે આ તમામની વચ્ચે આસામ સરકારે વધતા વસ્તી વધારાને જોતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચીની સરકારના કારગર નિર્ણય બાદ આસામ સરકારે પણ તે જ રીતે નિયમ કર્યો છે કે જે લોકોને 2થી વધારે બાળકો હશે તેમને સરકારી નોકરી નહીં આપવામાં આવે. આસામ સરકારે આ જાહેરાત તેની જનસંખ્યા નીતિ હેઠળ કરી છે.

આસામના સ્વાસ્થય મંક્ષી હિમાંત વિશ્વશર્માએ કહ્યું આ જનસંખ્યા નીતિમાં સૂચન કરવામાં આવ્યું છે કે બેથી વધારે બાળકો હશે તો તે લોકોને સરકારી નોકરી નહીં મળે. તેમનું માનવું છે કે આમ કરવાથી વધતી જનસંખ્યાને કાબુમાં લઇ શકાશે. એટલું નહીં નોકરી પર લાગ્યા પછી પણ જો તમારે બેથી વધુ બાળકો થયા તો સંભાવના છે કે તમને સરકારી નોકરીથી નીકાળી દેવામાં આવે.
એટલું જ નહીં બેથી વધુ બાળકો હોવાના કારણે તેમને ટેક્ટર, આવાસ જેવી લાભકારી સરકારી યોજનાઓનો પણ ફાયદો નહીં મળે. વળી પંચાયત, નગર પાલિકા ચૂંટણી માટે પણ ઉમેદવારો પર પણ આ નિયમ લાગુ થશે. વધુમાં આસામ સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હેઠળ યુવતીઓને યુનિવર્સિટી લેવલ સુધી નિશુક્લ ભણતર આપવા અંગે પણ સૂચન કરવામાં આવ્યું છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
