પોલીસની ગોળીથી નહિ, પ્રદર્શનકારીઓની ગોળીઓથી જ તેમના મૃત્યુ થયાંઃ યુપી પોલીસ
પોલીસની ગોળીથી નહિ, પ્રદર્શનકારીઓની ગોળીઓથી જ તેમના મૃત્યુ થયાંઃ યુપી પોલીસ
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ પોલીસનો દાવો છે કે રાજ્યમાં 18 લોકોના જે મોત થયાં તે પોલીસ ફાયરિંગમાં નહિ બલકે પ્રદર્શનકારીઓએ કરેલા ફાયરિંગમાં જ થયાં છે. ઉત્તર પ્રદેશ પોલીસ મુજબ રાજ્યમાં થયેલ મૃત્યુ માટે નાગરિકતા સંશોધન કાનૂનના પ્રદર્શનકારીઓ જવાબદાર છે, જેઓ પાછલા ગરુવારથી હિંસાને અંજામ આપી રહ્યા છે. યૂપી પોલીસે શનિવારે દાવો કર્યો કે અત્યાર સુધી રાજ્યમાં નવા નાગરિકતા કાનૂન વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન ઉપદ્રવિયો તરફથી 1000 રાઉન્ડથી વધુ ફાયર કરવામાં આવી ચૂક્યા છે.

આંતરિક ફાયરિંગમાં મૃત્યુ પામ્યા પ્રદર્શનકારી- પોલીસ
યૂપી પોલીસે દાવો કર્યો કે તેમણે અત્યાર સુધી પ્રદર્શનકારીઓ તરફથી ચલાવવામાં આવેલ 405 કારતૂસના ખોખા જપ્ત કર્યા છે. પોતાના દાવા પાછળ પોલીસની દલીલ છે કે મરનાર લોકોના પોસ્ટમાર્ટમમાં વાત સામે આવી છે કે બધાના મોત દેશી બુલેટથી થયાં છે. પોલીસ મુજબ ગુરુવારે થયેલ હિંસામાં અત્યાર સુધીમાં આઠ વર્ષના એક બાળક સહિત 18 લોકોએ જીવ ગુમાવ્યા છે. અગાઉ યૂપીના ડીજીપી ઓપી સિંહે દાવો કર્યો હતો કે ઉપદ્રવીઓ ખુદને બચાવવા માટે મહિલાઓનો અને બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે પોલીસે ગોળીઓ નથી ચલાવી, બલકે પ્રદર્શનકારીઓએ જ એક-બીજાને નિશાન બનાવ્યા. પોલીસે કહ્યું કે, 'અમે એક પણ ગોળી નથી ચલાવી.. આ મુદ્દે અમે એકદમ સાફ અને પારદર્શી છીએ. જો અમારી ગોળીથી કોઈ મર્યું હશે તો અમે તેની ન્યાયિક તપાસ કરાવશું અને કાર્યવાહી કરશું. પરંતુ અમારા તરફથી કંઈપણ નથી થયું.'

યૂપીમાં સાતથી વધુ ઉપદ્રવીની ધરપકડ
જ્યારે પોલીસ કમિશ્નર પ્રવીણ કુમારે જણાવ્યું કે રાજ્યમાં નાગરિકતા કાનૂન વિરુદ્ધ થઈ રહેલ 10 ડિસેમ્બરથી પ્રદર્શનમાં 705 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4500 લોકોની ઐતિહાસિક ધરપકડ બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા છે. આ ઘટનાઓમાં 18 લોકોના મોત થયાં છે અને 263 પોલીસકર્મી ઘાયલ થયા છે, જેમાંથી 57 આગમાં બળી ગયા છે. ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. હાલ તમામ ઈજાગ્રસ્તો ખતરાથી બહાર છે. અગાઉ ડીજીપી ઓપી સિંહે જણાવ્યું હતું કે પોલીસે પ્રદેશભરમાં 3500 લોકો સામે મામલો નોંધ્યો છે. લખનઉમાં 218 લોકોની ધરપકડ કરી છે.

ઉપદ્રવીઓની સંપત્તિ વેચીને નુકસાનની ભરપાઈ થશે
ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાજ્યમાં કાનપુર, ભદોહી, બહરાઈચ, અમરોહા, ફર્રુખાબાદ, ગાઝિયાબાદ, વારાણસી, મુઝફ્ફરનગર, સહારનપુર, હાપુડ, હાથરિસ, બુલંદશહર, હમીરપુર અને મહોબા જિલ્લાથી હિંસક પ્રદર્શનો જોવા મળ્યાં હતાં. યૂપીના ડીજીપીએ આ ઉપદ્રવોને ષડયંત્ર ગણાવ્યું હતું, જેમાં કેટલીક એજન્સીઓ અને રાજનૈતિક પાર્ટીના લોકો પર શક જતાવવામાં આવ્યો હતો. પોલીસે એમ પણ દાવો કર્યો હતો કે દંગા ફસાત ફેલાવવામાં બાહરી લોકો પણ સામેલ હતા. જણાવી દઈએ કે યૂપી સરકારે સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડનાર ફોલ્ડરીયાઓને ઓળખી તેમની સંપત્તિ વેચીને નુકસાનની ભરપાયી કરવાનો ફેસલો લીધો છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
