લો બોલો, આ કોલેજમાંથી એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી!!!
આ વર્ષે કોલજમાંથી 27માંથી 20 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં કોઇ પણ વિદ્યાર્થી પરીક્ષા પાસ કરી શક્યો ન હતો. સત્તાવાર સૂત્રોનું જણાવવું છે કે આ સિલસિલો વર્ષ 2009થી ચાલે છે. વર્ષ 2009માં કોલેજની પ્રથમ બેચે પરીક્ષા આપી હતી. જેમાં એક પણ વિદ્યાર્થી પાસ થયો ન હતો.
આ કોલજ શરૂ કરવાનો હેતુ અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓને સરળતાથી ઉચ્ચ શિક્ષણ મળે તેનો છે. વર્ષ 2007માં કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી વર્ષ 2009માં કોલેજ શરૂ કરવામાં આવી હતી.તે વર્ષે 14 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને પરિણામ શૂન્ય આવ્યું હતું. ત્યાર બાદ વર્ષ 2010માં 5 વિદ્યાર્થીઓએ, વર્ષ 2011માં 4 વિદ્યાર્થીઓએ, વર્ષ 2012માં 6 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેનું પરિણામ શૂન્ય આવ્યું હતું.
આ માટે કોલેજે કાયમી સ્ટાફની કમીને જવાબદાર ઠેરવી છે. અહીં માત્ર બોટની અને મેથેમેટિક્સ માટે જ શિક્ષકો છે.