અસમમાં નાગરિકતા ડ્રાફ્ટ રિલીઝ, 40 લાખ લોકો નથી ભારતીય નાગરિક
અસમમાં સોમવારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ એટલે કે એનઆરસી ડ્રાફ્ટ રિલીઝ કરકી દેવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ મુજબ બે કરોડ 89 લાખ લોકો ભારતીય નાગરિક છે.
અસમમાં સોમવારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ એટલે કે એનઆરસી ડ્રાફ્ટ રિલીઝ કરકી દેવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ મુજબ બે કરોડ 89 લાખ લોકો ભારતીય નાગરિક છે. વળી, લગભગ 40 લાખ લોકો એવા છે જે ભારતના નાગરિક નથી. અસમની કુલ જનસંખ્યા ત્રણ કરોડ 29 લાખ છે. એનઆરસીમાં એ બધા ભારતી નાગરિકોના નામો શામેલ કરવામાં આવશે જે 25 માર્ચ, 1971 પહેલાથી અસમમા રહે છે.
સોશિયલ મીડિયા પર નજર
અસમ પોલિસ તરફથી સુરક્ષા કારણોસર સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે જેથી ફેક ન્યૂઝ કે પછી કોઈ પ્રકારના હેટ મેસેજને ફેલવાથી રોકી શકાય. આ ઉપરાંત કમ્યુનિટી પ્રોગ્રામ્સ ચલાવવામાં આવી રહ્યા છે જેથી કોઈ પણ પ્રકારની ગેરસમજથી બચી શકાય. એક સીનિયર પોલિસ ઓફિસર તરફથી એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. એનઆરસીના પહેલા ડ્રાફ્ટને 31 ડિસેમ્બર, 2017 અને આ વર્ષે એક જાન્યુઆરીના રોજ જારી કરવામાં આવ્યો હતો. તે ડ્રાફ્ટમાં કુલ જનસંખ્યાના 1.9 કરોડ નામ હતા. એનઆરસીને જોતા રાજ્યભરમાં કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા છે. સુરક્ષાબળોની 220 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.
Two crore eighty nine lakhs, eighty three thousand six hundred and seventy seven people have been found eligible to be included in the National Register of Citizens: State NRC Coordinator #NRCAssam pic.twitter.com/eAseDjSmZm
— ANI (@ANI) July 30, 2018