For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

ભારતીય સેનામાં સામેલ થશે નવી બ્રહ્મોસ મિસાઇલ

ભારતીય સેનામાં સામેલ થશે નવી બ્રહ્મોસ મિસાઇલ

રશિયા સાથે મળીને ભારત ન્યુ-જનરેશન બ્રહ્મોસ મિસાઈલ બનાવવાનો છે. આ મિસાઈલની રેન્જ 600 કિલોમીટરથી પણ વધારે હશે, જેમાં આખું પાકિસ્તાન આવરી લઇ શકાશે. આ મિસાઈલથી પાકિસ્તાન વિરુદ્ધ ભારતની ક્ષમતા વધી જશે અને તે ટાર્ગેટ પર અચૂક નિશાન લગાવી શકશે.

જમ્મુ-કાશ્મીરની આતંકવાદી છાવણીઓમાં મળ્યા ચીની ધ્વજ

જમ્મુ-કાશ્મીરની આતંકવાદી છાવણીઓમાં મળ્યા ચીની ધ્વજ

જમ્મુ કાશ્મીરના જૂના બારામુલ્લામાં આતંકવાદી કેમ્પ્સ પર રેડ પાડી, 44 શંકાસ્પદોની ધરપકડ કરી છે. સુરક્ષા દળોને અહીંથી બોમ્બ સહિતની વિસ્ફોટક સામગ્રી, ચીન અને પાકિસ્તાનના ધ્વજ તથા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના લેટરહેડ પેડ મળ્યાં છે. કાશ્મીરમાં પહેલીવાર કોઈ આતંકવાદી છાવણીઓમાંથી ચીનના ધ્વજ મળી આવ્યા છે.

દેશભરના 53,000 પેટ્રોલ પંપ પર બ્લેક આઉટ, 15 મિનિટ માટે પેટ્રોલનું વેચાણ બંધ

દેશભરના 53,000 પેટ્રોલ પંપ પર બ્લેક આઉટ, 15 મિનિટ માટે પેટ્રોલનું વેચાણ બંધ

19 ઓક્ટોબરથી દેશભરના 53,000 પેટ્રોલ પંપો હડતાળ પર ઉતરશે. પેટ્રોલ પંર પર સાંજે 7થી 7.15 દરમિયાન પેટ્રોલનું વેચાણ બંધ રહેશે. આ પછી 26 ઓક્ટોબરે, 3 નવેમ્બરે અને અંતિમ ચરણમાં 15 મિનિટ વેચાણ બંધ કરાશે. 15 નવેમ્બરે સમગ્ર દિવસ દરમિયાન પેટ્રોલ પંપ પર કામકાજ બંધ રહેશે.

ડિગ્રી વિવાદમાં સ્મૃતિ ઇરાનીને રાહત મળી

ડિગ્રી વિવાદમાં સ્મૃતિ ઇરાનીને રાહત મળી

પટિયાલા હાઉસ કોર્ટે શૈક્ષણિક યોગ્યતા વિશે ખોટી જાણકારી માટે સ્મૃતિ ઇરાની સામે નોંધાયેલી ફરિયાદ રદ્દ કરી દીધી. આ ફરિયાદને કારણે તેમને ચૂંટણી કમિશનને આપેલા સોગંદનામા પર અનેક વખત સવાલો ઉઠ્યા હતા. કોર્ટે ફરિયાદીના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા હતા.

English summary
October 19 read today's top national news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X