23 માર્ચે પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે, અહીં થશે શપથવિધિ!
ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર બનાવવા જઈ રહી છે. પુષ્કર સિંહ ધામી મુખ્યમંત્રી હશે. આજે પક્ષના નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા છે.
દેહરાદૂન : ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર બનાવવા જઈ રહી છે. પુષ્કર સિંહ ધામી મુખ્યમંત્રી હશે. આજે પક્ષના નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા છે. અને હવે આવતીકાલે બપોરે 3.30 કલાકે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે કેબિનેટને પણ શપથ લેવડાવવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે.
ઉત્તરાખંડમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે સતત બીજી ટર્મ માટે કોઈ મુખ્યમંત્રીને તક આપવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા પણ ધામી મુખ્યમંત્રી હતા. જોકે, તેઓ વિધાનસભાની ચૂંટણીમાં તેમની બેઠક હારી ગયા હતા. પરંતુ પાર્ટીમાં તેમની સ્વીકૃતિ અને સમજણને જોતા તેમને સીએમ પદ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના નામની ઘોષણા સાથે અહીંના મુખ્યપ્રધાનના નામ અંગેની મૂંઝવણ પણ દૂર થઈ ગઈ છે. વિધાયક દળના નેતાની પસંદગી બાદ ભાજપ દ્વારા રાજ્યપાલને આ અંગેની જાણ કરવામાં આવી છે. આ સાથે ધામીના નેતૃત્વમાં નવી સરકારની કેબિનેટની રચના માટે વિનંતી પત્ર રજૂ કરવામાં આવ્યો છે.
ભાજપે કહ્યું છે કે હવે ધામી 23 માર્ચ બુધવારના રોજ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં શપથ લેશે. બીજેપીના એક નેતાએ કહ્યું કે, નક્કી કરવામાં આવ્યું છે કે કાર્યકારી મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના 12મા મુખ્યમંત્રી હશે. અગાઉ સોમવારે સાંજે રાજ્ય ભાજપ મુખ્યાલયમાં કેન્દ્રીય નિરીક્ષક સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ રાજ્યના સહ-નિરીક્ષક મંત્રી મીનાક્ષી લેખીની હાજરીમાં યોજાયેલી બીજેપી વિધાયક દળની બેઠકમાં ધામીને ફરીથી નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
રાજકીય નિષ્ણાતોની નજરમાં મહત્વનું છે કે ભાજપ ધામીના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણીમાં બે તૃતિયાંશ બહુમતી મેળવીને સતત બીજી વખત સત્તા પર પહોંચ્યું હતું, પરંતુ તે પોતે ખાતીમા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. પુષ્કર સિંહ ધામી ત્રીજી અને ચોથી વિધાનસભામાં ઉધમ સિંહ નગર જિલ્લાની ખાતિમા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. અહીં તમને જણાવી દઈએ કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર કાર્યરત થયા બાદ ભાજપ પર સતત આરોપો લાગી રહ્યા છે. ભાજપની કામગીરી પર આમ આદમી પાર્ટી સતત સવાલો ઉઠાવી સરકાર ગઠનમાં વિલંબના મુદ્દા પર હમલાવર છે. આખરે 4 રાજ્યોમાં ભાજપ સરકાર બનાવી રહી છે.