10 દિવસ સુધી ચાલશે ઓણમનો મુખ્ય તહેવાર, પીએમ મોદીએ કહ્યુ - ભાઈચારા અને સદ્ભાવના સાથે જોડાયેલો છે આ પર્વ
કેરળનો સૌથી પ્રાચીન અને પારંપરિક તહેવાર ઓણમ આજે શનિવારે(21 ઓગસ્ટ)નો મુખ્ય પર્વ છે.
નવી દિલ્લીઃ કેરળનો સૌથી પ્રાચીન અને પારંપરિક તહેવાર ઓણમ આજે શનિવારે(21 ઓગસ્ટ)નો મુખ્ય પર્વ છે. 10 દિવસ સુધી ચાલતા આ તહેવારની શરૂઆત 12 ઓગસ્ટના રોજ થઈ હતી જેનુ સમાપન 23 ઓગસ્ટે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓણમની બધા દેશવાસીઓને શુભકામના આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે, 'સકારાત્મકતા, જીવંતતા, ભાઈચારા અને સદ્ભાવના સાથે જોડાયેલા તહેવાર ઓણના વિશેષ અવસર પર બધાને શુભકામનાઓ. હું બધાને સારા આરોગ્ય અને ભલાઈ માટે પ્રાર્થના કરુ છુ.'

પીએમ મોદીએ પહેલા શુક્રવારે(20 ઓગસ્ટ)ની સાંજે ઓણમની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌને શુભેચ્છાએ આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ હતુ કે ઓણમના પવિત્ર અવસર પર હું તમને સૌ દેશવાસીઓ, ખાસ કરીને વિશેષ રૂપે દેશ અને વિદેશમાં રહેતા કેરળના ભાઈઓ-બહેનોને શુભેચ્છા પાઠવુ છુ. આવો, આ અવસર પર આપણે સૌ મળીને દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે એક થઈને આગળ વધવાનો સંકલ્પ લઈએ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ કે આ તહેવાર ખેડૂતોના પરિશ્રમ, પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા, સમાજમાં સમરસતા, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપે છે.
કેવી રીતે થઈ ઓણમ પર્વની શરૂઆત
ઓણમનો પર્વ સારા પાક અને પર્વનો આભાર માનવા માટે મનાવવામાં આવે છે. આ તહેવાર ખાસ કરીને કેરળમાં મનાવવામાં આવે છે. ઓણમ દરમિયાન કેરળની સુંદરતા વધી જાય છે. ઓણમના તહેવારના પહેલા દિવસે દરેક ઘરની સાફ-સફાઈ થાય છે. ઘરોને સજાવવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે સવારે પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે રાજા બલિનુ આગમન થાય છે. પૌરાણિક કથાઓ મુજબ મહાબલી નામનો અસુર હતો પરંતુ તે પોતાની પ્રજાનુ બહુ ધ્યાન રાખતો હતો. તેના રાજ્યના બધા લોકો તેને અસૂરના દેવતાની જેમ પૂજા કરતા હતા. કહેવાય છે કે રાજા બલિએ દેવરાજ ઈન્દ્રને હરાવીને ઈન્દ્રલોક પર પણ પોતાનો કબજો કરી લીધો હતો.
રાજા બલિના ઈન્દ્રલોકમાં પહોંચ્યા બાદ મદદ માટે દેવરાજ ઈન્દ્ર ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુ ઈન્દ્રને તેમનુ ઈન્દ્રલોક અપાવવાનુ વચન આપ્યુ. ત્યારબાદ શ્રીહરિ વામન અવતારમાં રાજા બલિ પાસે પહોંચ્યા અને વચનોના બહાને તેમને લોક છોડીને પાતાળ લોકમાં જવા માટે કહ્યુ. રાજા બલિને રાજ્યમાં ના જોઈને પ્રજા દુઃખી અને ચિંતામાં રહેવા લાગી. આ જોઈને ભગવાન વિષ્ણુએ રાજા બલિને વરદાન આપ્યુ કે તે વર્ષમાં ત્રણ વાર પોતાની પ્રજાને મળવા જઈ શકે છે. કહેવાય છે કે એ વખતથી ઓણમનો પર્વ મનાવવામાં આવે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
