કોવેક્સિનનો એક ડોઝ કોરોના રિકવર લોકો માટે પૂરતો હોઈ શકે-ICMR
ICMR એ કહ્યું કે જો મોટી વસ્તી પર અમારા અભ્યાસની પુષ્ટિ થાય છે તો કોરોનાથી સંક્રમિત લોકો માટે રસીના એક ડોઝની ભલામણ કરી શકાય છે, જેથી રસીના મર્યાદિત જથ્થાનો લાભ બધાને મળી શકે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિનનો એક ડોઝ કોરોનાથી સાજા થયેલા લોકો પર બે ડોઝ બરાબર કામ કરી શકે છે. આ અભ્યાસ શનિવારે ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત થયો છે.
ICMR એ કહ્યું કે જો મોટી વસ્તી પર અમારા અભ્યાસની પુષ્ટિ થાય છે તો કોરોનાથી સંક્રમિત લોકો માટે રસીના એક ડોઝની ભલામણ કરી શકાય છે, જેથી રસીના મર્યાદિત જથ્થાનો લાભ બધાને મળી શકે. તમને જણાવી દઈએ કે ભારતની પ્રથમ સ્વદેશી કોરોના રસી કોવેક્સિનને સરકારે જાન્યુઆરીમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપી હતી. બંને ડોઝ 4 થી 6 મહિનાના અંતરાલે આપવામાં હોય છે.
આ અભ્યાસમાં કોરોનાથી સંક્રમિત લોકોમાં અને જેણે રસીનો એક ડોઝ લીધો હતો તેમાં ઉત્પન્ન થયેલા એન્ટિબોડીઝની તુલના બિન-ચેપગ્રસ્ત અને કોરોનાના બંને ડોઝ લીધેલા લોકોની એન્ટિબોડી સાથે કરવામાં આવી છે. અભ્યાસનો હેતુ બંને પ્રકારના લોકોમાં ઉત્પન્ન થતી એન્ટિબોડીઝની માત્રા શોધવાનો હતો.
અભ્યાસના ભાગરૂપે ફેબ્રુઆરીથી મે 2021 સુધી ચેન્નાઈના રસીકરણ કેન્દ્રો પર કોવેક્સિન લેનારા 114 હેલ્થકેર પ્રોફેશનલ્સ અને ફ્રન્ટલાઈન કામદારોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. કોરોનાથી સંક્રમિત તમામ લોકો (બે લોકો સિવાય) માં રસીમાંથી એન્ટિબોડીનું સ્તર બિન-ચેપગ્રસ્ત અને રસીના બંને ડોઝ લેતા લોકોમાં ઉત્પન્ન થયેલ એન્ટિબોડીઝ જેવું જ હતું. એટલે કે, અભ્યાસના પરિણામો સારા હતા.