Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

One Nation One Election : વન નેશન વન ઈલેક્શન સંઘીય માળખા માટે કેટલો મોટો ખતરો?

One Nation One Election : નિર્યલો લઈને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષવા માટે જાણીતી બીજેપીની કેન્દ્ર સરકારે ફરી એક વખત વિવાદાસ્પદ નિર્ણય લીધો છે.

દેશમાં વન નેશન વન ઈલેક્શન લાગુ કરવા માટે બીલને કેબિનેટની મંજુરી મળી ગઈ છે. હવે આ બીલ સંસદમાં મંજુરી માટે શિયાળુ સત્રમાં જ લાવવામાં આવી શકે છે.

One Nation One Election

એક તરફ નરેન્દ્ર મોદી સરકાર અને તેમની પાર્ટી બીજેપી વન નેશન વન ઈલેક્શનના ગુણગાન ગાઈ રહ્યાં છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ તેને રાજ્યોની સ્વતંત્રતા માટે ખતરારૂપ ગણાવી રહી છે.

વિરોધીઓી દલીલ છે કે આ વિચાર સંપૂર્ણપણે ભારતીય બંધારણ હેઠળ સ્થાપિત સંઘીય માળખાની વિરુદ્ધ છે. આ બંધારણની કલમ 1 ભારતને રાજ્યોના સંઘ તરીકે વર્ણવે છે. આ કારણે એક સાથે ચૂંટણી એ રાજ્ય સરકારોની સ્વાયત્તતા અને સ્વતંત્રતા પર હુમલો માનવામાં આવશે.

ટીકાકારોનું કહેવું છે કે આ વ્યવસ્થાથી દેશનું સંઘીય માળખું નબળું પડશે અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના હિતોના સંઘર્ષમાં પણ વધારો થઈ શકે છે. દેશમાં વન નેશન વન ઈલેક્શન લાગુ કરવા ઓછામાં ઓછા પાંચ બંધારણીય સુધારાની જરૂર પડશે.

આ કલમ 83 (લોકસભાનો કાર્યકાળ), કલમ 85 (રાષ્ટ્રપતિ દ્વારા લોકસભાનું વિસર્જન), અનુચ્છેદ 172 (વિધાનસભાઓનો કાર્યકાળ), કલમ 174 (વિધાનસભાઓનું વિસર્જન) અને કલમ 356 (રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન) માં સુધારા કરવા પડશે. ટીકાકારો કહે છે કે આટલા બધા અનુચ્છેદને એકીકૃત કરવા સંઘીય માળખાની વિરુદ્ધ હશે.

આ સિસ્ટમ સંઘીય માળખા સાથે ખિલવાડ હોવાની દલીલ પાછળનું મોટું ઉદાહરણ એસઆર બોમાઈ કેસ છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજ્યોના સ્વતંત્ર બંધારણીય અસ્તિત્વ પર ભાર મૂક્યો છે.

વન નેશન વન ઇલેક્શન સામે એક એવી પણ દલીલ આપવામાં આવે છે કે મતદારો દેશ, રાજ્ય અને પંચાયતી રાજ સંસ્થાઓ માટે અલગ-અલગ પસંદગીઓ નક્કી કરે છે અને તે મુજબ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે છે. નવી શરૂઆત સાથે આ વ્યવસ્થા ખોરવાઈ જશે, જે બંધારણના સંઘીય માળખાની વ્યવસ્થા માટે ઠીક નથી.

વિરોધીઓની એક દલીલ એવી પણ છે કે આ વાસ્તવમાં કેન્દ્રનું વર્ચસ્વ થોપવાનો પ્રયાસ છે, જે બંધારણ ઘડનારાઓની વિચારસરણીની વિરુદ્ધ છે. વન નેશન વન ઈલેક્શનની જરૂરિયાતનો સવાલ છે તો સામાન્ય ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાથી સરકાર પરના ખર્ચના બોજને અણધારી રીતે ઘટાડી શકાય છે.

બીજી મોટી દલીલ એ છે કે આ સિસ્ટમ લાગુ થયા બાદ આદર્શ આચારસંહિતા 5 વર્ષમાં માત્ર એક જ વાર લાગૂ થશે. આનાથી સરકારી કામમાં વારંવાર આવતી અડચણો દૂર થશે, તેનાથી કામમાં આવતી અડચણો ઓછી થશે અને દેશ ઝડપથી આગળ વધશે.

બીજી તરફ વિરોધીઓની દલીલ છે કે લોકોએ તેમની પસંદગીની સરકાર પસંદ કરવી જોઈએ અને આ માટે કોઈ વધારાનો ખર્ચ નથી. ઘણી વખત સરકારો તેમની પાંચ વર્ષની મુદત પૂરી કરતા પહેલા પડી જાય છે. આ સ્થિતિમાં જનતાને તેમના મતદાન અધિકાર દ્વારા નવી સરકાર બનાવવાની તક મળે છે, જે લોકશાહી વ્યવસ્થા માટે જરૂરી છે.

જો એકસાથે ચૂંટણી યોજાય તો રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષોને લેવલ પ્લેઇંગ ફિલ્ડ નહીં મળે, જે લોકશાહી માટે યોગ્ય નથી. પરંતુ, જો મહત્વપૂર્ણ ચિંતાઓના યોગ્ય ઉકેલો મળી આવે તો પછી સંઘીય માળખા માટે પડકાર બનવાને બદલે આ સિસ્ટમ તેને મજબૂત કરી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X