રાહુલ ભાઇ : હકીકત છે કે અમિત શાહને પ્રિયંકા ગાંધી જ ટક્કર આપી શકે
અમેઠી, 5 ડિસેમ્બર : કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ પોતાના સંસદીય મતવિસ્તાર અમેઠીના બે દિવસની મુલાકાત બાદ આદે દિલ્હી પાછા આવી ગયા હતા. આ દિવસોમાં રાહુલ ગાંધીએ અમેઠીના દરેક અગ્રણીઓને મળવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આ મુલાકાત દરમિયાન મોદી સરકારની ટીકા કરવાનું પણ છોડ્યું ન હતું.
જો કે આ દરમિાયન તેમણે પોતાના કાર્યકરોની મદદથી વિચિત્ર સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. બન્યું એમ કે બુધવારે જ્યારે રાહુલ ગાંધીએ પોતાના કોંગ્રેસના કાર્યકારોને રાહુલ ગાંધીને કહ્યું કે અમને લાગે છે કે ભાઇ જો, આપણે ભાજપની તાકાતને જવાબ આપવો હશે અને અમિત શાહ સાથે ટક્કર લેવી હશે તો પ્રિયંકા દીદી (પ્રિયંકા ગાંધી) એ હવે સક્રિય રાજકારણમાં પગલું ભરવું જ પડશે.
પોતાના કોંગ્રેસી કાર્યકરોએ પોતાના મોઢાથી કદાચ રાહુલને આ વાતની આશા ન હતી. આ માટે થોડી વાર માટે તે રાહુલ ગાંધી ચૂપ જ થઇ ગયા છે. પરંતુ માત્ર સ્મિત ફરકાવીને કંઇ જ કહ્યા વિના આગળ વધી ગયા.
આપને ખ્યાલ હોય કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ પાર્ટીની અંદરથી સતત એવો અવાજ આવી રહ્યો હતો કે પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમાં લાવવાની વાત કરવામાં આવી રહી છે. જો કે પ્રિયંકા ગાંધીએ આ અંગે ક્યારે પણ આ વિશે કશું કહ્યું નથી. લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ચોક્કસ એ કહ્યું હતું કે આ અંગેનો નિર્ણય પ્રિયંકા ગાંધીએ જ કરવાનો છે. તેઓ જ આ અંગે જવાબ આપી શકે છે.