CAA પર વિરોધ પક્ષની બેઠક, સાંપ્રાદાયીકતાના આધારે લોકોને વહેંચી રહી છે સરકાર: સોનિયા ગાંધી
નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓ સોમવારે દિલ્હીમાં મળી છે. વિપક્ષી પાર્ટીઓની આ બેઠક સંસદ ભવનના મકાનમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળ થઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિરોધી પક્ષોની આ બેઠક બોલાવી હતી. સોનિયા ગાંધીએ બેઠકમાં કહ્યું કે કેન્દ્ર સરકાર લોકો પર સતાવણી કરી રહી છે અને લોકોને સાંપ્રદાયિક તર્જ પર વહેંચવાનો પ્રયાસ કરી રહી છે. દેશમાં આવી ઉથલપાથલ પહેલાં જોવા મળી નથી. બંધારણને નબળું પાડવામાં આવી રહ્યું છે. સરકાર પોતાની શક્તિનો દુરૂપયોગ કરતી હોય તેવું લાગે છે.
મોટાભાગના વિરોધ પક્ષોના નેતાઓ આમાં સામેલ હતા. નાગરિકત્વ કાયદાના વિરોધ વચ્ચે દેશની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા આ બેઠક બોલાવવામાં આવી હતી. વિરોધી પક્ષો પૈકી, તૃણમૂલ કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી, ડીએમકે, સમાજવાદી પાર્ટી અને શિવસેના સભામાં હાજર રહ્યા ન હતા.
કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, અહેમદ પટેલ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવાર, રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ અજિતસિંહ, આરએલએસપીના ઉપેન્દ્ર કુશવાહા, સીપીએમના સીતારામ યેચુરી, સીપીઆઇના ડી. રાજા, આરજેડીના સાંસદ મનોજ ઝા, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના સાંસદ પી.કે. કુન્હાલીકુટ્ટી, ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના સિરાજુદ્દીન અજમલ, બિહારના ભૂતપૂર્વ સીએમ જીતન રામ માંઝી, ડેમોક્રેટિક જનતા દળના શરદ યાદવ બેઠકમાં જોડાયા હતા.