#PathankotAttacks:એસપી સલવિંદર સિંહની બીજી પત્નીએ ખોલ્યા રાઝ
પઠાણકોટ આતંકી હુમલામાં પહેલેથી જ સંદિગ્ધ ભૂમિકામાં રહેનાર અને અવારનવાર તેમના નિવેદનોથી સમાચારોમાં રહેનાર ગુરદાસપુરના એસપી સલવિંદર સિંહ જ્યાં એક પછી એક વિવાદોમાં ફસડાઇ રહ્યા છે ત્યાર હવે તેમના પર એક નવો વિવાદ અને આરોપ લાગ્યા છે અને આ વખતે તેમની વર્દી પર નહીં પણ તેમના ચારિત્ર પર ડાધ લાગી રહ્યો છે. કારણ કે મીડિયાની સામે આવી છે તેમની બીજી પત્ની જેમણે આ એસપીના રંગીન સ્વાભાવની અનેક પોલ ખૂલ્લી કરી છે.
નોંધનીય છે કે પઠાણકોટ હુમલામાં આતંકીઓએ સૌથી પહેલા એસપી સલવિંદર સિંહની જ ગાડીનું અપહરણ કર્યું હતું. અને તેના લઇને તે એરબેઝમાં પહોંચ્યા હતા. આ સમગ્ર મામલામાં પહેલેથી જ શંકાની સોય એસપી પર છે. અને આ પહેલીવાર નથી બન્યું કે તે કોઇ વિવાદોમાં પડ્યા હોય. ત્યારે કેવા કેવા કારનામાં આ પહેલા પણ સલવિંદર સિંહ કરી ચૂક્યા છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....
કેટલીક મહિલા કોન્સટેંબલ સાથે છેડછાડ
એસી સલવિંદર પર પઠાણકોટ હુમલા પહેલા કેટલીક મહિલા કોન્સટેબલ યૌન શોષણ અને છેડછાડનો આરોપ લગાવ્યો હતો.
સલવિંદર બીજી પત્ની સામે આવી
ત્યારે હાલમાં જ પંજાબના હોશિયારપુરમાં રહેતી કરનજીત કૌરે દાવો કર્યો છે કે તે સલવિંદર સિંહની બીજી પત્ની છે. અને સલવિંદરે તેને પ્રેમ જાળમાં ફસાવીને તેની જોડે લગ્ન કર્યા હતા.
પહેલા લગ્નની વાત છુપાવી
કરનજીતે કહ્યું કે લગ્નના સમયે સલવિંદર તેના પહેલા લગ્ન વિષે છુપાવ્યું હતું. તેમણે 1994માં ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા અને બન્નેને એક પુત્ર પણ છે. કરનજીત કહ્યું કે સલવિંદર સિંહ તે જ્યારે 2000માં ગર્ભવતી થઇ ત્યારે તેની છોડી દીધી.
પત્નીનો આરોપ ઐયાશ છે સલવિંદર
તો સલવિંદરની આ બીજી પત્ની કહ્યું કે સલવિંદર ઐયાશી પસંદ વ્યક્તિ છે અને તેણે તેની સાથે દગો કર્યો છે.
પોલિસ પાસે માંગ્યો ન્યાય
ત્યારે કરનજીતે કહ્યું કે તે તેના પુત્રનું ડિએનએ ટેસ્ટ કરાવવા પણ તૈયાર છે. અને તેને પોલિસ પાસેથી પોતાને અને પોતાના બાળકને ન્યાય આપવાની માંગ કરી.