હોલિકા દહન પર નીરવ મોદી નું પૂતળું સળગાવવામાં આવ્યું
હોળીના દિવસે આખા દેશમાં હોલિકા દહન કરવામાં આવે છે. પરંતુ મુંબઈ વર્લીમાં એક અનોખી હોળી સળગાવવામાં આવી હતી. ત્યાં લોકોએ હોલિકા દહન માટે 58 ફુટનું પૂતળું બનાવ્યું હતું.
હોળીના દિવસે આખા દેશમાં હોલિકા દહન કરવામાં આવે છે. પરંતુ મુંબઈ વર્લીમાં એક અનોખી હોળી સળગાવવામાં આવી હતી. ત્યાં લોકોએ હોલિકા દહન માટે 58 ફુટનું પૂતળું બનાવ્યું હતું. આ પૂતળું પંજાબ નેશનલ બેંકના ઘોટાળાને દર્શાવી રહી હતી. આ પૂતળું નીરવ મોદીનું બનાવવામાં આવ્યું હતું જેને એક મોટા ડાયમંડ પર બેસાડેલો દેખાડ્યો હતો અને તેના પાર લખ્યું હતું પીએનબી બેંક સ્કેમ.
આપણે જણાવી દઈએ કે પીએનબી બેંક ઘોટાળા પછી જાંચ એજન્સીઓ ઘ્વારા બેનામી કંપનીઓ પર સિકંજો કસી રહી છે. ઓછા માં ઓછી લગભગ 200 જેટલી કંપનીઓ જાંચ એજન્સીઓના દાયરામાં છે. આ જાંચ એજેન્સી પંજાબ નેશનલ બેંકમાં થયેલા 11 હજાર 500 કરોડના ઘોટાળાની તપાસ પણ કરી રહી છે. જેમાં હીરા કારોબારી નીરવ મોદી અને મેહુલ ચોક્સી જોડાયેલા છે. હોલિકા દહન માટે આ પૂતળું ખુબ જ ચર્ચામાં રહ્યું હતું.
લોકોએ આ પૂતળા ઘ્વારા નીરવ મોદીને બુરાઈના પ્રતીક તરીકે દર્શાવ્યું. ત્યાં જ મુંબઈના ગ્રાન્ટ રોડ પાસે પંચશીલ સોસાયટીમાં હોલિકા દહન અલગ રીતે કરવામાં આવ્યું. અહીંના લોકોએ હુક્કા દહન કર્યું. જેના ઘ્વારા તેઓ સંદેશ આપવા માંગે છે કે હુક્કા એ કમલા મિલ્સને સળગાવી અને તમારા જીવન સાથે પણ એવું જ કરી શકે છે. આપણે હુક્કા નથી સળગાવતા પરંતુ હુક્કા આપણે સળગાવે છે. આપણે જણાવી દઈએ કે કમલા મિલમાં આગ લાગવ થી 14 લોકોની મૌત થઇ ગયી હતી.