પેટ્રોલપંપના ડીલરોની ધમકી, 15 ઓક્ટોમ્બરથી આઠ કલાક કામ કરશે

petrol hike bike
નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર: પેટ્રોલપંપના ડીલરોએ ચેતાવણી આપી છે કે જો પેટ્રોલિયમ કંપનીઓ કમીશન વધારાની માંગને સંતોષશે નહી તો તે 15 ઓક્ટોમ્બરથી ફક્ત આઠ કલાક કામ કરશે. જેની અસર દેશભરમાં 70,000થી વધુ પેટ્રોલપંપ પડશે. કનફેડરેશન ઓફ ઇન્ડિયા પેટ્રોલિયમ ડિલર્સના બેનર હેઠળ ડીલર પોતાની માંગોના સમર્થનમાં પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી પહેલી અને બીજી ઓક્ટોમ્બરના રોજ ઇંઘણની ખરીદી કરશે નહી. કનફેડરેશનના સભ્ય તમિલનાડુ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને આજે જાણકારી આપી હતી.

એસોસિએશનના સચિવ એમ હેદરઅલીએ આજે સંવાદદાતાઓને કહ્યું હતું કે '' વેતન તથા વીજળીનો ખર્ચ બચાવવા 15 ઓક્ટોમ્બરથી આઠ કલાકની શિફ્ટમાં કામ કરવામાં આવશે. જો અમારી માંગણી સ્વીકારાશે નહીં તો આંદોલન તીવ્ર બનાવાશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે પહેલી અને બીજી ઓક્ટોમ્બરના રોજ ઇંઘણની ખરીદી કરવામાં નહી આવે જેના કારણે સરકારને ભારે નુકસાન વેઠવું પડશે. અમે ઇચ્છીએ છે કે પેટ્રોલિયમ મંત્રાલય અમારા વિરોધ પર ધ્યાન આપે અને અપૂર્વા ચંદ્રા સમિતિનીની ભલામણોને લાગૂ કરે. તેમને કહ્યું હતું કે સમિતિએ પોતાની ભલામણો 2010માં આપી હતી, પરંતુ મંત્રાલયે હજુ સુધી તેને લાગૂ કરી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X