PM મોદીએ વારાણસીમાં આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનની શરૂઆત કરી
વડાપ્રધાન મોદીએ કહ્યું, "બાબા વિશ્વનાથ, માતા અન્નપૂર્ણા શહેર કાશીની પવિત્ર ભૂમિના તમામ ભાઈઓ અને બહેનોને દિવાળી, દેવ દીપાવલી, અન્નકૂટ, ભાઇ બીજ, પ્રકાશ ઉત્સવ અને આવનારી ડાલા છઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું અને પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન લોન્ચ કર્યું હતું. ભોજપુરીમાં સંબોધનની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ કાશીના લોકોને આગામી તહેવારોની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું, "બાબા વિશ્વનાથ, માતા અન્નપૂર્ણા શહેર કાશીની પવિત્ર ભૂમિના તમામ ભાઈઓ અને બહેનોને દિવાળી, દેવ દીપાવલી, અન્નકૂટ, ભાઇ બીજ, પ્રકાશ ઉત્સવ અને આવનારી ડાલા છઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
પ્રધાનમંત્રીએ કહ્યું - કાશીથી શરૂ કરવામાં આવી રહેલી યોજનાઓમાં મહાદેવના આશીર્વાદ છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, શિવ અને શક્તિ કાશીમાં રહે છે, તો પછી સ્વાસ્થ્ય સંબંધિત આટલી મોટી યોજના શરૂ કરવા માટે કાશીથી વધુ સારી જગ્યા બીજી કઇ હોઈશકે.
કાશીથી શરૂ થઈ રહેલી યોજનાઓમાં મહાદેવની કૃપા છે, કલ્યાણ છે, સફળતા છે. જ્યારે મહાદેવ તેમની સાથે હોય છે, ત્યારે તમામ દુઃખો અને વેદનાઓ ત્યાંસમાપ્ત થાય છે.
અગાઉની સરકારોએ ગામડાઓ અને ગરીબોને આરોગ્ય સુવિધાઓથી વંચિત રાખ્યા : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ ફરી એક વખત ગત સરકારો પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આઝાદી પછી દેશમાં આરોગ્ય સુવિધાઓ પર એટલું ધ્યાનઆપવામાં આવ્યું નથી જેટલું જરૂરી હતું.
દેશમાં અગાઉ જેમની સરકારો હતી, જેમણે ગામડાઓ અને ગરીબોને આરોગ્ય સુવિધાઓથી વંચિત રાખ્યા હતા.
ગામડાઓ અનેશહેરોમાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે, જ્યાં રોગોની વહેલી તપાસ માટે સુવિધાઓ હશે.
આ કેન્દ્રોમાં મફત તબીબી સારવાર, મફત પરીક્ષણ,મફત દવા જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
'જૂની સરકારો દ્વારા રહી ગયેલી ખામીને પહોંચી વળવા માટે સમાધાનનો માર્ગ'
PMએ કહ્યું કે, કાશીના માળખાગત સંરચનાથી સંબંધિત લગભગ 5,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ, જેમાં રસ્તાઓ, ઘાટની સુંદરતા, ગંગાજી અને વરુણની સ્વચ્છતા,પુલ, પાર્કિંગની જગ્યાઓ, BHUમાં ઘણી સુવિધાઓ શામેલ છે.
આ આરોગ્ય યોજનાનું બીજું પાસું રોગોના નિદાન માટે પરીક્ષણ નેટવર્ક સાથે સંબંધિત છે. આ મિશનહેઠળ રોગોના નિદાન અને દેખરેખ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગરીબ અને મધ્યમ વર્ગમાં હંમેશા સારવારની ચિંતા રહેછે. આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રા મિશન હેલ્થ કેર સિસ્ટમે જૂની સરકારોમાં રહેલી તંગીને પહોંચી વળવા ઉકેલનો માર્ગ આપ્યો છે.