કોંગ્રેસે પીએમ મોદી પર સાધ્યુ નિશાન, કહ્યુ - પીએમે શેર કરી વેક્સીનેશનની અધકચરી માહિતી
કોંગ્રેસ પ્રવકતા ગૌરવ વલ્લભે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન જનતા સાથે ખોટો અને ભ્રામક ડેટા શેર કર્યો છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભારતના વૈજ્ઞાનિક સમુદાય અને શોધકર્તાઓની કઠોર મહેનતનુ અવમૂલ્યન કરવા અને ગુરુવારે દેશમાં 100 કરોડ કોવિડ વેક્સીન લાગવા પર પોતાના ભાષણમાં અધૂરી માહિતી શેર કરવા પર કડક ટીકા કરી. કોંગ્રેસ પ્રવકતા ગૌરવ વલ્લભે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન જનતા સાથે ખોટો અને ભ્રામક ડેટા શેર કર્યો છે.
કોંગ્રેસ પ્રવકતા ગૌરવ વલ્લભે કહ્યુ કે પીએમ મોદીએ આપણા વૈજ્ઞાનિક સમુદાય અને આપણા શોધકર્તાઓની કઠોર મહેનતને ઓળખી નથી. તેમણે કહ્યુ કે પીએમ મોદીએ એમ કહીને એ વૈજ્ઞાનિકોની શોધને નજરઅંદાજ કરી દીધી કે આ પહેલી વાર છે જ્યારે ભારતે કોઈ રસી બનાવી છે. વલ્લભે કહ્યુ કે રાજીવ ગાંધીએ 1985માં પ્રધાનમંત્રી પદે રહીને છ બિમારીઓ કે સાર્વભૌમિક રસીકરણ કાર્યક્રમ સામે રસીકરણ અભિયાન શરૂ કર્યુ હતુ. તેમણે કહ્યુ કે રાજીવ ગાંધીએ મોદીથી ઉલટુ કોઈ ધામધૂમ વિના કુષ્ઠ ઉન્મૂલન કાર્યક્રમ પણ શરૂ કર્યો હતો.
ગૌરવ વલ્લભની ટિપ્પણી પીએમ મોદીના શુક્રવારે રાષ્ટ્રના નામે એક સંબોધન પછી આવી છે. જેમાં તેમણે કહ્યુ કે ભારતે એ લોકોને આકરો જવાબ આપ્યો છે જેમણે દેશની વસ્તીના રસીકરણ કરવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. 16 જાન્યુઆરીએ દેશને કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ શરૂ થવાના બરાબર નવ મહિના અને પાંચ દિવસ બાદ ગુરુવારે 1 અબજ વેક્સીન ડોઝ આપવામાં આવ્યો. માત્ર ચીન જ ભારતથી વધુ ડોઝ આપવામાં સક્ષમ છે.
વલ્લભે કહ્યુ કે પીએમ મોદી ભારતની તુલના નાની વસ્તીવાળા દેશો સાથે કરતા રહે છે. ચીને 216 કરોડ રસી લગાવી અને બંને ડોઝ સાથે પોતાની 80 ટકા વસ્તીને રસી લગાવી. પરંતુ બીજી તરફ ભારતે માત્ર 21 ટકા વસ્તીને બમણુ રસીકરણ કર્યુ છે. તેમણે સરકારને આ ગરમીમાં મહામારીની બીજી લહેર દરમિયાન જીવ ગુમાવનાર પરિવારોની માફી માંગવા માટે કહ્યુ. જેમાં હજારો લોકોના જીવ જતા રહ્યા હતા.