કોવિડ-19 મેનેજમેન્ટ પર એક કાર્યશાળાને સંબોધિત કરશે પીએમ મોદી, 10 પડોશી દેશ થશે શામેલ
નવી દિલ્લીઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે 10 પડોશી દેશો સાથે કોવિડ-19 મેનેજમેન્ટ અનુભવ, સમાધાનની રીતો વિશે એક કાર્યશાળાને 3 વાગે સંબોધિત કરશે. આ કાર્યશાળામાં શામેલ થનારા દેશોમાં ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, મોરેશિયસ, નેપાળ, પાકિસ્તાન, શિશેલ્સ અને શ્રીલંકા શામેલ છે.
પ્રત્યેક દેશના આરોગ્ય સચિવ અને કોવિડ મેનેજમેન્ટ ટેકનિક દળના પ્રમુખને વન પ્લસ વન ફૉર્મેટના આધારે ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આરોગ્ય સચિવ અને કોવિડ-19 મેનેજમેન્ટના પ્રભારી ટેકનિકલ ટીમના પ્રમુખે જણાવ્યુ કે ભારતના આરોગ્ય સચિવ આ આયોજનની અધ્યક્ષતા કરશે.
ભારત દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન(સાર્ક) સાથે કોવિડ-19 મેનેજમેન્ટ પર સચિવ સ્તરની આ વર્ચ્યુઅલ બેઠકની મેજબાની કરી રહ્યુ છે. આ કાર્યશાળામાં પાકિસ્તાન સહિત સાર્ક દેશો ભાગ લઈ રહ્યા છે. કાર્યશાળાની અધ્યક્ષતા કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ કરશે.
રાજ્યપાલના અભિભાષણ સાથે બજેટ સત્ર શરૂ, ધારાસભ્યોનુ વૉકઆઉટ