એક વાર ફરીથી જવાનો સાથે દિવાળી મનાવવા આજે એલઓસી જઈ શકે છે પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી જવાનો સાથે દિવાળી મનાવવા સીમા પર જઈ શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી જવાનો સાથે દિવાળી મનાવવા સીમા પર જઈ શકે છે. પીએમ મોદી સીમા પર તૈનાત જવાનો સાથે દિવાળી મનાવવા જઈ શકે છે. પીએમ મોદી આ વખતે પાકિસ્તાન અને ચીન પાસેના સરહદી વિસ્તારોમાં તૈનાત ભારતીય જવાનો સાથે દિવાળી મનાવી શકે છે. આ સાથે જ તે જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર બનેલી આર્મી પોઝિશન્સ પર પણ જઈ શકે છે.
તમને જણાવી દઈએ કે આ પહેલો મોકો નથી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવાળીના પ્રસંગે જવાનો વચ્ચે પહોંચી રહ્યા છે. આ પહેલા પણ પીએમ મોદી જવાનો સાથે ઘાટીની અલગ અળગ જગ્યાઓએ દિવાળી મનાવવા પહોંચ્યા હતા. તેમણે જવાનો સાથે મુલાકાત કરી, તેમને મિઠાઈઓ ખવડાવી હતી. માનવામાં આવી રહ્યુ હતુ કે એક વાર ફરીથી પ્રધાનમંત્રી જવાનો સાથે દિવાળી મનાવવા ઘાટી રવાના થઈ શકે છે. વાસ્તવમાં પીએમ મોદી જવાનો સાથે દિવાળી મનાવવા પર જોર આપતા આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની સીમા પાસેના વિસ્તારોમાં એલએસીની ચોકીઓ પર જવાનોનો ઉત્સાહ વધારવા તેમની વચ્ચે પહોંચી શકે છે. દર વખતે પ્રધાનમંત્રી મોદીના પ્રવાસને ગુપ્ત રાખવામાં આવે છે. પીએમ મોદીની સુરક્ષાને જોતા તેમના આ પ્રવાસને ગુપ્ત રાખવામાં આવે છે.
આ પણ વાંચોઃ બેંગલુરુ પહોંચેલા ડીકે શિવકુમાર બોલ્યા, ક્યારેય નબળો નહિ પડુ, ન્યાય માટે લડીશ