નીરવ મોદી અને મેહુલે નવેમ્બરમાં જ ભાગવાનો પ્લાન બનાવી લીધો હતો
પંજાબ નેશનલ બેંક પાસેથી 11 હજાર 500 કરોડનો ઘોટાળો કરનાર મુખ્ય આરોપી નીરવ મોદી વિશે સીબીઆઈ રોજ કોઈને કોઈ ખુલાસા કરી રહી છે.
પંજાબ નેશનલ બેંક પાસેથી 11 હજાર 500 કરોડનો ઘોટાળો કરનાર મુખ્ય આરોપી નીરવ મોદી વિશે સીબીઆઈ રોજ કોઈને કોઈ ખુલાસા કરી રહી છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી ખબર અનુસાર નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ નવેમ્બરમાં જ દેશ છોડીને ભાગવાનો પ્લાન બનાવી લીધો હતો. ખરેખરમાં મુંબઈમાં પીએનબી બ્રાન્ચથી ઘોટાળો કરવામાં આવ્યો હતો ત્યાં નીરવ મોદી અને મેહુલ સાથે જોડાયેલા અધિકારીઓને બદલે બીજા નવા અધિકારીઓ આવી ગયા હતા.
ગોકુલનાથ શેટ્ટીના રીટાયર થવાના એક દિવસ પહેલા ભાગી ગયા
આખી ઘટનાની તપાસ કરી રહેલા અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે નવા સ્ટાફ ઘ્વારા ખોટી રીતે લેવડ દેવળ કરવાથી ના પાડી દીધી હતી. ત્યારપછી આરોપીઓ દેશ છોડવાની તૈયારી કરવામાં લાગી ગયા. ગોકુલનાથ શેટ્ટીના રીટાયર થવાના એક દિવસ નીરવ મોદી અને મેહુલે પરિવાર સાથે દેશ છોડી દીધો.
નીરવ મોદી 1 જાન્યુઆરીએ પોતાના ભાઈ નિશાલ મોદી સાથે યુએસ ભાગી ગયા
તપાસમાં કહેવામાં આવ્યું કે ગોકુલનાથ શેટ્ટીના રીટાયર થવાના એક દિવસ પહેલા મેહુલ ચોક્સી અને નીરવ મોદી દેશ છોડીને ચાલ્યા ગયા. નીરવ મોદી 1 જાન્યુઆરીએ દેશ છોડીને ચાલ્યો ગયો હતો. પરંતુ તેની પત્ની 6 જાન્યુઆરીએ દેશની બહાર ગયી. તપાસ અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની પાસે જે રેકોર્ડ છે તેના મુજબ નીરવ મોદી અને તેની પત્ની અમેરિકામાં છે.
વિદેશી શાખાની જાણકરી માંગી
સીબીઆઈ ઘ્વારા ઓછામાં ઓછી પાંચ અન્ય બેંકો એક્સિસ બેંક, અલ્હાબાદ બેંક, ભારતીય સ્ટેટ બેંક, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાને કહ્યું કે તેઓ જાણકારી આપે કે તેમની ઇન્ટરનેશન ડિવિઝનથી મોદી અને ચોક્સી સમૂહની કંપનીઓ પર કેટલું દેવું છે.