બે બાળકો મુદ્દે મુનવ્વર રાણાનાં નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ
જાણીતા શાયર મુનવ્વર રાણાના સરકારની બે બાળકોની પોલીસી મુદ્દે આપેલા ઈન્ટર્વ્યૂ બાદ રાજનીતિક ધમાશાણ શરૂ થયુ છે.
જાણીતા શાયર મુનવ્વર રાણાના સરકારની બે બાળકોની પોલીસી મુદ્દે આપેલા ઈન્ટર્વ્યૂ બાદ રાજનીતિક ધમાશાણ શરૂ થયુ છે. મુનવ્વર રાણા યુપી સરકાર અને સરકારની પોલીસી પર વરસ્યા હતા. તેમણે રાજ્ય છોડવા સુધીની વાત કરી હતી.

મુનવ્વર રાણાએ ઉત્તર પ્રદેશ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, બેથી વધારે બાળકો એટલા માટે પેદા કરવામાં આવે છે કારણ કે બે બાળકો એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવે છે. એકાદને કોરોના થઈ જાય છે. કોઈ અકસ્માતમાં મરી જાય છે. આ એવી જ રીતે છે જેવી રીતે લોકો મુરઘીના આઠથી દસ બચ્ચા ખરીદે છે. હિંદુ હોય કે મુસ્લિમ એકથી વધારે બાળકો એટલા માટે પેદા કરે છે કારણ કે કોઈને કોઈ રીતે તે પૈસા કમાવી લાવે અને ખવડાવી શકે, બાકીનાને તો તમે મારી જ નાખશો.
શાયરના આ નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ છે. મુનવ્વર રાણાએ આ ઉપરાંત રાજનીતિ બાબતે પણ ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે,, જો એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીને કારણે યોગી આદિત્યનાથ ફરીથી યુપીના મુખ્યમંત્રી બનશે, તો તે રાજ્ય છોડી દેશે. હું એ પણ માની લઈશ કે આ રાજ્ય મુસ્લિમોના રહેવા માટે યોગ્ય નથી.
રાણાનાં આ નિવેદન બાદ ભાજપ પણ હમલાવર છે. ભાજપે શાયરને બીજુ રાજ્ય શોધી લેવા જણાવ્યુ છે. હવે જોવાનું એ રહે છે કે આવિવાદ ક્યાં જઈને અટકે છે?
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે











Click it and Unblock the Notifications
