અરવિંદ કેજરીવાલ સાથે પ્રકાશ રાજની મુલાકાત, ઘણા મુદ્દે વાતચીત
અભિનેતા પ્રકાશ રાજે ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી. પ્રકાશ રાજ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ઘરે પહોંચ્યા
અભિનેતા પ્રકાશ રાજે ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી. પ્રકાશ રાજ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ઘરે પહોંચ્યા અને તેમની સાથે બેઠક કરી. આવનારી લોકસભા ચૂંટણી લડવાનું એલાન કરી ચૂકેલા પ્રકાશ રાજની આ મુલાકાત તેમની ઈલેક્શન તૈયારીઓ અંગે થઇ છે. પ્રકાશ રાજે આ મુલાકાત અંગે ટવિટ કરીને તેની જાણકારી આપી.
આ પણ વાંચો: લોકસભા 2019ને લઈ પ્રકાશ રાજે કરી ચોંકાવનારી ઘોષણા
દિલ્હીમાં કેજરીવાલ સરકારની કામગીરીના વખાણ
પ્રકાશ રાજે કહ્યું કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરીને રાજનીતિમાં આવવા માટે અભિનંદન આપ્યું. તેમની ટીમે જે રીતે અગત્યના મુદ્દાઓ પર કામ કર્યું છે તેના વિશે જાણકારી લીધી. પ્રકાશ રાજ આગળ પણ દિલ્હીમાં કેજરીવાલ સરકારની કામગીરીના વખાણ કરી ચુક્યા છે. હાલમાં જ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા સાથે પણ પ્રકાશ રાજ મંચ શેર કરી ચુક્યા છે.
રાજનીતિમાં આવવાનું એલાન
પ્રકાશ રાજે હાલમાં જ રાજનીતિમાં આવવાનું એલાન કર્યું છે. તેઓ બેંગ્લોર સેન્ટ્રલથી નિર્દલીય લોકસભા ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીએ પ્રકાશ રાજના ચૂંટણી લડવાનું સ્વાગત કરતા કહ્યું છે કે આવા લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ. આમ આદમી પાર્ટી અહીં પ્રકાશ રાજને સમર્થન આપી શકે છે.
મોદી સરકાર પર સીધા હુમલા
પ્રકાશ રાજ સતત દેશની રાજનૈતિક ગતિવિધિઓ પર પોતાની પ્રતિક્રિયા આપતા રહ્યા છે. કેન્દ્રની મોદી સરકારની તેઓ સતત આલોચના પણ કરતા આવ્યા છે. ઘણા મામલે તેઓ મોદી સરકાર પર સીધા હુમલા પણ કરી ચુક્યા છે. પ્રકાશ રાજ હિન્દી સિનેમા અને સાઉથ ફિલ્મોના ફેમસ અભિનેતા માનવામાં આવે છે.