વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોંચ કરી શ્રમેવ જયતે
નવી દિલ્હી, 16 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ઉદ્યોગને પ્રોત્સાહન આપનાર મહત્વાકાંક્ષી શ્રમેવ જયતેની શરૂઆત કરી. આ અવસર પર નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેટલી તાકાત સત્યમેવ જયતેની છે એટલી જ તાકાત દેશના વિકાસ માટે શ્રમની તાકાત છે.
આ પોર્ટલ વડાપ્રધાને શ્રમ મંત્રાલય દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે કાર્યક્રમ હેઠળ કરવામાં આવી. આ અવસર પર શ્રમિકો માટે પુનર્ગઠિત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજનાની શરૂઆત કરવામાં આવી. આ યોજના હેઠળ એક ઓનલાઇન પોર્ટલ લોંચ કરવામાં આવ્યું જેના માધ્યમથી દેશભરના અસંગઠિત કર્મચારીઓના પીએફ એકાઉન્ટ એકીકૃત થશે. આ ઉપરાંત કંપનીઓમાં શ્રમ નિરીક્ષણ માટે એકીકૃત પોર્ટલને લોંચ કરવામાં આવ્યું.
આ યોજના હેઠળ 6.50 લાખ પ્રતિષ્ઠાનો તથા 1,800 નિરીક્ષણ અધિકારીઓને યૂનિફાઇડ લેબર પોર્ટલ વિશે એસએમએસ મોકલવામાં આવશે. શ્રમિકોને નિરીક્ષકોને નિરીક્ષણ પુરું કરવાના 72 કલાકમાં પોતાનો રિપોર્ટ પોર્ટલ પર નાખવો પડશે.