ભારે વરસાદના કારણે પૂનામાં પૂર જેવી સ્થિતિ, 7ના મોત, શાળા-કોલેજો બંધ
વરસાદનો કહેર આ વખતે પૂનામાં ફૂટ્યો છે જ્યાં અત્યાર સુધી ભારે વરસાદના કારણે 7 લોકોના મોત થઈ ગયા છે.
ચોમાસુ પોતાની અંતિમ અવસ્થામાં છે તેમછતા જતા જતા પણ દેશના ઘણા રાજ્યોમાં તીવ્ર રીતે સક્રિય થઈ ગયુ છે. આના કારણે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે. વરસાદનો કહેર આ વખતે પૂનામાં ફૂટ્યો છે જ્યાં અત્યાર સુધી ભારે વરસાદના કારણે 7 લોકોના મોત થઈ ગયા છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ આંકડા હજુ પણ વધી શકે છે. સ્થિતિને જોતા એનડીઆરએફની ત્રણ ટીમો મોકલવામાં આવી છે જે રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે.

વરસાદથી એક દીવાલ ધસી પડી
શાહાકાર નગરમાં વરસાદના કારણે એક દીવાલ ધસી પડી. આ દૂર્ઘટનામાં પાંચ લોકોના કાટમાળ નીચે દબાઈ જવાના કારણે મોત નીપજ્યા છે. મૃતકોમાં એક બાળક અને બે મહિલાઓ શામેલ છે. પૂનાના જિલ્લા કલેક્ટર નવલ કિશોર રામે વરસાદ અને પૂરની સ્થિતિને જોતા ગુરુવારે બધી શાળા અને કોલેજોમાં રજા ઘોષિત કરી દીધી છે.
|
ઘણા વિસ્તારોમાં પાણીમાં ભરાયા
વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વિજળી પૂરવઠો પણ ઠપ્પ થઈ ગયો છે. પદ્માવતી પંપિંગ સ્ટેશન પ્રભાવિત થવાના કારણે સતારા રોડ, કોંઢાવા, બીબવેવાડી, સહકારનગર, માર્કેટયાર્ડ, બાલાજીનગર અને ઢંકાવાડીમાં પાણી પૂરવઠો પણ બંધ કરી રહેશે.
|
સૌથી વધુ પ્રભાવિત
પૂનાના કાત્રજ, બિબનેવાણી, અપર ઈન્દ્રાનગર, દત્તવાડી વિસ્તાર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.












Click it and Unblock the Notifications
