પંજાબમાં 0 થી 5 વર્ષના બાળકો માટે રસીકરણ મેસેજ સુવિધા શરૂ કરવામાં આવી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને 0 થી 5 વર્ષના બાળકોની રસીકરણની જાણકારી માટે માતા પિતાને એસએમએસ સુવિધા શરૂ કરી છે. સીએમ ભગવાંત માન રસીકરણ માટે 0થી 5 વર્ષના બાળકોના માતા પિતાની એક સ્વંમ સંચાલિત એસએમએસના માધ્યથી રસી અંગેની
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને 0 થી 5 વર્ષના બાળકોની રસીકરણની જાણકારી માટે માતા પિતાને એસએમએસ સુવિધા શરૂ કરી છે. સીએમ ભગવંત માન રસીકરણ માટે 0થી 5 વર્ષના બાળકોના માતા પિતાની એક સ્વંમ સંચાલિત એસએમએસના માધ્યથી રસી અંગેની માહિતી મળી જશે. જેની શરૂઆત શનિવારના રોજ કરવામાં આવી છે.
ભગવંત માને જણાવ્યુ હતુ કે, રસીકરણની તારીખ અને નજીકના રસીકરણ કેન્દ્રનું વિવરણ સાથે સમગ્ર માહિતી માતા પિતાના મોબાઇલ નંબર પર મોકલી આપવામાં આવશે. ભગવંત માનના માધ્યથી આપવામાં આવેલ એક જાહેરાતથી જણાવામાં આવ્યુ છે કે, આ અભિયાનથી પંજાબની રસીકરણ સ્થિતિમાં સુધારવામાં મદદ મળશે.
આ અંગે અધિકારીક્ત પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, આ સ્વંમ સંચાલિત એસએમએસ અલર્ટ સુવિધા પંજાબી અને અંગ્રેજી બને ભાષામાં મોકલવામાં આવશે. આ સુવિધાનો ઉદેશ્ય ભાળકોમાં રસીકરણના કાર્યક્રમથી તેના સમગ્ર જીવનકાળ દરમિયાન તેના પર નજર રાખી શકાય તે છે. તેમજ માતા પિતા તેમના બાળકોને સમયસર રસી અપાવી શકે તે પણ છે.