For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ સરકાર લાવી રહી છે નવી NRI નીતિ, વૃદ્ધોને કરાવશે ધાર્મિક સ્થળોની મફત યાત્રા

પંજાબ સરકારે એનઆરઆઈને સહાય પૂરી પાડવા અને તેમની વિવિધ સમસ્યાઓનુ વહેલી તકે નિરાકરણ લાવવા માટે નવી NRI નીતિ લાવવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પંજાબની ભગવંત માન સરકાર પ્રવાસી પંજાબીઓ પ્રત્યે મહેરબાન છે. રાજ્ય સરકારે એનઆરઆઈને સહાય પૂરી પાડવા અને તેમની વિવિધ સમસ્યાઓનુ વહેલી તકે નિરાકરણ લાવવા માટે નવી NRI નીતિ લાવવાનો નિર્ણય કર્યો છે. સ્ટેટ ઓવરસીઝ ઈન્ડિયન (NRI) બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે નવી એનઆરઆઈ ડ્રાફ્ટ પોલિસી અંગે બેઠક દરમિયાન એનઆરઆઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને એનઆરઆઈ કમિશનના ફોરમ સાથે લાંબી વાતચીત કરી હતી.

mann

કુલદીપ સિંહ ધાલીવાલે બેઠકમાંથી જરૂરી માહિતી શેર કરતાં જણાવ્યુ હતુ કે પંજાબ સરકાર દ્વારા પ્રવાસી પંજાબી યુવાનોને તેમના મૂળ સાથે જોડવા માટે કાર્યક્રમ ચલાવવામાં આવ્યો છે. તે જ રીતે ભગવંત માન સરકાર દ્વારા વૃદ્ધો માટે પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રવાસી પંજાબી વડીલોને રાજ્યના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મફત મુસાફરી પૂરી પાડવામાં આવશે. નાગરિક લોક અદાલતોની જેમ વિદેશી પંજાબીઓને મોટી રાહત આપવા માટે નાગરિક લોક અદાલતોની જેમ એનઆરઆઈના પ્રશ્નોના નિરાકરણ માટે NRI લોક અદાલતો સ્થાપવાના પ્રયાસો કરવામાં આવશે એમ NRI બાબતોના મંત્રીએ જણાવ્યુ હતુ. આ અદાલતોમાં ખાસ કરીને જમીન અને લગ્નના વિવાદો પરસ્પર સંમતિથી સ્થળ પર જ સમાધાન કરવામાં આવશે જેને કાયદાકીય માન્યતા હશે.

બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જેના સંદર્ભમાં મુખ્યમંત્રી ભગવંત માનને અરજી કરવામાં આવશે કે જિલ્લા સ્તરે એનઆરઆઈ પ્રશ્નોના નિરાકરણ માટે PCS અધિકારીઓને દરેક જિલ્લામાં નોડલ ઑફિસર તરીકે મૂકવામાં આવે. કુલદીપ સિંહ ધાલીવાલે કહ્યુ કે સામાન્ય રીતે એનઆરઆઈની જમીનો પર અતિક્રમણના ઘણા કિસ્સાઓ હોય છે, જેના માટે એવો કાનૂની ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે એનઆરઆઈની જમીનોની ગીરદાવરી સંમતિ વિના બદલી ન શકાય. બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિદેશમાં વસતા પંજાબીઓને કાયદાકીય સહાય માટે એડવોકેટ જનરલની ઑફિસમાંથી વકીલોની એક પેનલ બનાવવામાં આવશે. જો જરૂર પડશે તો એનઆરઆઈ આ વકીલો પાસેથી કાનૂની મદદ લઈ શકશે.

English summary
Punjab government is bringing new NRI policy, free tourism facility for old NRI Punjabi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X